________________
૧૪૦
ધાન્યો મને મળી જ રહેશે. અને એમાં ઇદ્ર મને લેશ પણ આડે નહિ આવી શકે. જરૂર પડશે તે
स्वयम् इन्द्रो भविष्यामि जीवयिष्यामि च प्रजाः । “હું જાતે જ ઇદ્ર બનીશ, અને પૃથ્વીવાસીઓને જિવાડીશ.”
અને પછી આમ કરવાની પોતામાં શક્તિ છે તે અંગે પ્રતીતિ આપવા માટે તેમણે દુનિયાભરની સંપત્તિને પોતાને આંગણે એકત્ર કરી...
અને અગત્યના તપોબળને આ પ્રભાવ જોઈને સ્વર્ગવાસીઓ તેમ જ ધર્મ વયમેવ સાક્ષા–ધર્મ પતે તેના યજ્ઞમાં ઉપસ્થિત થયા.
પૃથ્વીવાસીઓએ આ બધું જોઈને અગત્યને કહ્યું : “તામ્ અહિંસા
સૂયાયં સતત પ્રમો –તમે યજ્ઞો માટે આ અહિંસાને જ સર્વદા આદેશ આપતા રહેજે, વડીલ!” અગત્યની આ શક્તિ જોઈને દેવરાજ ઇકને હાર માનવી પડી. ગુરુ બહસ્પતિને આગળ કરીને તે જાતે જ અગત્યના એ અહિંસક યજ્ઞમાં આવ્યો. ઠેઠ બાર વર્ષને અંતે એ યજ્ઞ પૂરો થયે ત્યાં સુધી તે ત્યાં રોકાયે.
હવે એક જ કુતૂહલ બાકી રહે છે,-એ જમાને જોતાં ! એ નાળિયો કોણ હતા ? અને માણસની ભાષામાં વાત કરવાની શક્તિ એનામાં ક્યાંથી આવી ?
સાંભળો !
એકવાર ભૂકુલેત્પન્ન જમદગ્નિ મુનિએ શ્રાદ્ધ કરવાને નિશ્ચય કર્યો. હમધેનું એમના આ નિશ્ચયને જાણીને જાતે જ એમની પાસે આવી. જમદગ્નિએ જાતે જ એને દોહી. એક નવા અને મજબૂત પાત્રમાં તેમણે તે દૂધ રાખ્યું.
હવે ધર્મને એક કુતૂહલ થયું : ભગુઓ બધા જ ક્રોધી તરીકે જગજાહેર હતા. વાતવાતમાં ગુસ્સો કરે !
પ્રતિકૂળ સંયોગોમાં આ જમદગ્નિ પણ ગુસ્સો કરે છે કે કેમ તે જાણવાની ધર્મને ઈચ્છા થઈ.
તેણે-ધમે ક્રોધને ઋષિના દુગ્ધપાત્રનું હરણ કરી લેવાને, દુગ્ધપાત્રને દૂષિત કરવાને આદેશ આપ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com