________________
૧૨૪ .
રોષને કારણે જ તે તેણે ચિત્રાંગદાના પુત્ર દ્વારા અર્જુનને ઘાત નહિ કરાવી નાખ્યો હોય ? પતિ તેમ જ સપત્ની બન્ને ઉપર આથી વધારે સચોટ રીતે વેર શી રીતે વાળી શકાવાનું હતું ?
પણ અર્જુનને બચાવ કરતાં ઉલૂપીને તે કહે છે, “પુરુષે એક કરતાં વધારે પત્નીઓ કરે એ કંઈ તેમને એટલે મેટો અપરાધ નથી!”
પછી ચિત્રાંગદા નાગકન્યા ઉલૂપીને અર્જુનને સજીવન કરવાની વિનતિ કરે છે. અર્જુન જીવતો નહિ થાય તે પોતે પણ રણભૂમિ પર પ્રાણત્યાગ કરશે એવી ધમકી પણ તે આપે છે.
દરમ્યાન બબ્રુવાહન મૂછમાંથી ઊભો થાય છે, અને પરિસ્થિતિને અંદાજ આવતાં, તે પણ તેની માતાની પેઠે પ્રાણત્યાગની ધમકી આપે છે – જે નાગકન્યા ઉલૂપી પોતાના પિતાને સજીવન ન કરે તે !
કથા કહે છે કે ઉલૂપી પાસે સંજીવનમણિ હતો. તેને હાથમાં લઈને એ બબ્રુવાહન પાસે આવી.
“શોક તજી દે, બેટા” બભ્રુવાહનને તેણે કહ્યું, “તારા પિતા અર્જુન તારાથી શું, દેથી પણ જિતાય એમ નથી. એમને તારામાં કેટલું પાણી છે તે જોવું હતું માટે મેં તને યુદ્ધ કરવાની સલાહ આપી. પોતાની જાતને પિતૃહત્યારે માનીને તું નાહકને દુઃખી ન થા. આ મણિને તું એમની છાતીને અડાડીશ કે તરત જ એ ઊભા થશે.”
અને થયું પણ એમ જ, મણિને સ્પર્શ થતાંવેંત જ અર્જુન જાણે કેઈ સુદીર્ઘ નિદ્રામાંથી જાગતું હોય એમ જાગી ઊઠયો. બબ્રુવાહન તેની પાસે જઈને તેને પગે પડી ગયે. અર્જુને તેને બાથમાં લીધે. ડેક દૂર ઊભેલી એની માતા ચિત્રાંગદાને પણ એણે જોઈ. ચિત્રાંગદાની પાસે ઉલૂપી ઊભી હતી. ઉલૂપી અહીં ક્યાંથી, અર્જુનને થયું; અને આ ચિત્રાંગદા પણ રણભૂમિ પર શા માટે આવી હશે ?
“આ બધું શું છે?” બબ્રુવાહનને તેણે પૂછ્યું. “આપ એ મારાં માતા ઉલૂપીને પૂછે.”
અને અર્જુનના પૂછવાથી ઉલૂપી એક તીસરી જ વાત, આ બધાના ખુલાસા રૂપે રજૂ કરે છે, “કુરુક્ષેત્રના યુદ્ધમાં ભીષ્મને તમે અધર્મથી માર્યા હતા. જેની સાથે ન લડવાની પ્રતિજ્ઞા કરી હતી તે શિખંડીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com