________________
૧૩૦
સાત્યકિ, પ્રદ્યુમ્ન, ગદ, નિશઠ, સાબ, કૃતવર્મા વગેરે યાદવની સૌથી પહેલા આવ્યા હતા. એમને પહેલી પૂજા સમર્પવામાં આવી. રાજસૂય વખતે થયેલ ધાંધલ ફરી ન થાય તેની ખાસ તકેદારી રખાઈ હતી.
અર્જુન દ્વારા અપાયેલ યુધિષ્ઠિરના આમંત્રણને માન આપીને આવેલાઓમાં બબ્રુવાહન અને તેની બે માતાઓ તરી આવતાં હતાં. ઉલૂપી અને ચિત્રાંગદા કુન્તી તેમ જ ગાન્ધારીને તથા સુભદ્રા તથા દ્રૌપદીને વંદન કરીને ચિરપરિચિતોની પેઠે હસ્તિનાપુરના રાજકુટુંબ સાથે ભળી ગયાં. કુન્તીએ બન્ને વહુઓને રત્નો ભેટમાં આપ્યાં, જ્યારે ધૃતરાષ્ટ્ર બબ્રુવાહનને સમુચિત ઉપહારે દ્વારા સન્મા.
આ પછી ત્રીજે દિવસે સત્યવતીપુત્ર વ્યાસ આવ્યા. તેમની સૂચના પ્રમાણે યુધિષ્ઠિરે દીક્ષિત થઈને યજ્ઞની શરૂઆત કરી. યુધિષ્ઠિરને એ યજ્ઞ ધનધાન્ય, દાન-દક્ષિણ આદિથી એવો તે સંપન્ન બન્યું કે એટલામાં કેાઈ જ “કૃપણ” કે દરિદ્ર કે “દુઃખિત” કે “ક્ષધિત” કે “પ્રાત” જોવામાં જ ન આવે! યાજકે બધા જ છયે અંગે સહિત ચારેય વેદોને જાણનારા હતા.
યજ્ઞકાર્યને વચ્ચે વચ્ચે વિશ્વાવસુ અને ચિત્રસેન આદિ ગબ્ધ બ્રાહ્મણને તથા અન્ય સૌ મહેમાનોને પોતાના ગીત-નૃત્યથી રીઝવતા હતા.
અશ્વમેધની સમાપ્તિ પછી યુધિષ્ઠિરે બ્રાહ્મણોને “કેટિ-સહસ્ત્ર' સોનામહારે દક્ષિણમાં આપી; અને વ્યાસને તો તેણે આખી વસુધરા જ આપી દીધી. ( શિવાજીએ રામદાસને આપી હતી તેમ!) વ્યાસે બદલામાં ડીક દક્ષિણ લઈને વસુન્ધરા એને પાછી આપી દીધી.
પણ યુધિષ્ઠિરનું મન હજુ વૈરાગ્યમાં હતું. હજુ વનમાં જઈને રહેવાના તેને ઉધામા આવ્યા કરતા હતા. એટલે બ્રાહ્મણ-અગ્રણીઓને ફરી એણે કહ્યું : “આ રાજ્ય તમે જ ભોગવો, બ્રાહ્મણસત્તમ! હું વનમાં જઈને રહીશ. મારા ભાઈઓની પણ એ જ ઈચ્છા છે.”
pવમ્ પતર્ એમ જ છે.” ભાઈઓએ સંમતિ આપી,
દ્રૌપદીએ પણ
,
આ ભયાનક સંગ્રામ ખેલ્યા પછી પ્રાપ્ત થયેલી પૃથિવીને યુધિષ્ઠિર અને તેના ભાઈઓ અને તેની પત્ની આમ રમતરમતમાં ત્યાગી દે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com