________________
દરમિયાન નગર બહાર રહેવાની પેલી એક મહિનાની અવધિ પૂરી થઈ ગઈ છે. યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં પ્રવેશ કરવાની તૈયારી કરે છે - શ્રીકૃષ્ણની શિખામણના છેલ્લા શબ્દો આ વખતે તેના હૃદયમાં રણઝણતા હોય છેઃ “બીજા કશાને ખાતર નહિ તેપણ આ બ્રાહ્મણનું, આ હશેષ રાજવીઓનું અને આ વ્યાસ અને અમારા જેવા મિત્રોનું અને શૈપદીનું મન રાખવા માટે અને સ્ત્રોથ હિત કરવા માટે તું રાજ્યને સ્વીકાર કર.”
સોળ વેત બળદો ડેલ એક નવા રથમાં તે બેસે છે. બંદીજને એની બિરદાવલી ગાતા હોય છે. ભીમ લગામ સંભાળે છે. અર્જુન તેના માથા પર વેત છત્રની છાયા કરે છે. આકાશમાં તારાઓ જડેલ કેઈ સફેદ વાદળખંડ જેવું એ છત્ર રથને માથે શોભે છે. સહદેવ અને નકુલ બન્ને બાજુએ ઊભા ઊભા તેને ચામર ઢોળે છે. રથમાં એકીસાથે વિરાજતા, એ પાંચે ભાઈઓ સમસ્ત સૃષ્ટિના પાયામાં રહેલ પંચમહાભૂત-પૃથ્વી, પાણી, તેજ, વાયુ અને આકાશ-જેવા લાગે છે. આગળ પાલખીમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારી છે. પાછળ રથમાં યુયુત્સુ બેઠો છે. કુન્તી અને દ્રૌપદી વગેરે મહિલાઓ વિદુરની આગેવાની નીચે ભિન્ન ભિન્ન વાહનમાં સાથે છે અને આ બધા ઉપર પોતાની સ્નેહભરી દૃષ્ટિની શીળી છાયા પાથરતા શ્રીકૃષ્ણ સાત્યકિની માથે પિતાના પ્રસિદ્ધ રથમાં બેઠા છે; અને આ સૌની પાછળ પાછળ ચાલતા હાથીઓ, અશ્વો, રથ, પદાતિઓને તો પાર જ નથી.
' હસ્તિનાપુરવાસીઓએ પણ યુધિષ્ઠિરના માનમાં નગરને ધજાપતાકાથી ખૂબ શણગાર્યું છે. પાણું છુંટાયેલ રસ્તાઓ ધૂપ અને પુષ્પjજેથી સુવાસિત છે. નગરના મુખ્ય દ્વાર પર પાણીથી ભરેલ સફેદ અને પુષ્પાચ્છાદિત કુંભ મૂકવામાં આવ્યા છે. હજારો પુરવાસીઓ પાંડના આ પુરપ્રવેશને જોવા અને અભિનંદવા ભેગા થયા છે. ચંદ્રોદય વેળાએ ભરતીથી છલકાતે સમુદ્ર શોભી રહે, એવી રીતે વિજેતા પાંડેને વધાવવા આવેલ વસતી વડે હસ્તિનાપુર શોભી રહ્યું છે. રાજમાર્ગો પર આવેલા યુધિષ્ઠિરને જોવા માટે બારીઓ અને ઝરૂખામાં એકઠી મળેલી સ્ત્રીઓના ભાર વડે સમૃદ્ધ ઘરે જાણે કંપી રહ્યાં છે. બધી સ્ત્રીએ મનેમન યુધિષ્ઠિરની પ્રશંસા અને દ્રૌપદીનું અભિવાદન કરી રહી છે: “આવા પુરુષોત્તમની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com