________________
प४
બંને પક્ષેનાં વચનમાંથી નમૂના લેખે ચેડાંક ટાંકીએ.
' (વૈરાગ્ય-પક્ષ) अलाभे सति वा लाभे समदर्शी महातपाः ।। न जिजीविषुवत् किंचिन्न मुमू ह्युवदाचरन् ॥ जीवितं मरणं चैव नाभिनन्दन् न च द्विषन् । वास्यैकं तक्षतो बाहुं चन्दनेनैक मुक्षतः ॥ वीतरागश्चरन्नेवं, तुष्टिं प्राप्स्यामि शाश्वतीम् । तृष्णया हि महत् पापम् अज्ञानादस्मि कारितः ॥
(ગૃહસ્થાશ્રમ–પક્ષ) अवेक्षस्व यथा स्वैः स्वैः कर्मभिर्व्याघृतं जगत् । तस्मात् कर्मैव कर्तव्यं नास्ति सिद्धिरकर्मणः ।। एकतः त्रयो राजन् गृहस्थाश्रम एकतः ।। ममेति च भवेत् मृत्युः न ममेति च शाश्वतम् । ब्रह्ममृत्यू ततो राजन् आत्मन्येव समाश्रितौ ।।
૨૫૩. હસ્તિનાપુરમાં પ્રવેશ આ ચર્ચા દરમિયાન એવી પણ પળે આવી જાય છે જ્યારે યુધિષ્ઠિરને શેક અત્યંત ઉત્કટ બને છે, અને તેને અન્નજળનો ત્યાગ કરીને પોતાની કાયાનું વિસર્જન કરવાના ઉધામા આવે છે. નારદ અને વ્યાસ તેમ જ અન્ય ઋષિઓ, તેમજ, અલબત્ત, તેના ભાઈઓ અને દ્રૌપદી અને શ્રીકૃષ્ણ તેને તેમ કરતાં વારે છે; અને રાજ્યસંચાલન એ પણ એક અનિવાર્ય ધર્મ હોઈ માનવસમાજના સંરક્ષણ અર્થે, યજ્ઞાથે, જીવનને ટકાવી, યુદ્ધમાં વિજયને અંતે માથા પર આવી પડેલી શાસનની જવાબદારી વહન કરવાની સલાહ આપે છે.
આ ચર્ચા દ્વારા યુધિષ્ઠિરનું આન્તરિક સમાધાન ઝાઝું સધાયું હેય એમ લાગતું નથી; પણ સૌના આગ્રહ પાસે એ નમતું આપે છે, પણ ધર્મના સ્વરૂપ વિષે હજુ પણ વધારે જાણવાની એને ઝંખના છે, તે જોઈને સૌ એને કુરુક્ષેત્રમાં શરશય્યા પર પડેલ ભીષ્મ પાસે જવાનું સૂચવે છે, પણ તે રાજ્યને સ્વીકાર કર્યા પછી જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com