________________
ભીષ્મ એને નીચેના શબ્દ કહીને હળવેલ કરે છે. હકીકતમાં શ્રીકૃષ્ણ અર્જુનને ગીતા દ્વારા જે જ્ઞાન આપ્યું હતું, યુહારંભે, તેનું જ આમાં પુનરાવર્તન છે, ભીષ્મની ભાષામાં. પણ વચને હૈયાની પાટી પર કતરી રાખવા જેવાં છે.
पितॄन् पितामहान् भ्रातॄन् गुरून् संबंधिवान्धवान् ।
मिथ्याप्रवृत्तान् यः संख्ये निहन्याद् धर्म एव सः ।। વિડીલો હોય કે ભાઈઓ હોય, ગુરુઓ હોય કે સગાંસંબંધીઓ ય; મિથ્યા-અસત-પ્રવૃત્તિ કરનારાઓને યુદ્ધમાં હણવા એ ધર્મ જ છે.” વગેરે.
ભીષ્મ પિતાના યુદ્ધાચરણ પર ધર્મની મહોર મારી એથી શોકમુક્ત બનેલ યુધિષ્ઠિરે પિતામહની પાસે આવીને તેમના ચરણ ગ્રહ્યા. પિતામહે. પણ તેને આશિષ આપીને “બેસ” એમ કહ્યું. “હવે તારે મને પૂછવું હોય તે પૂછી લે, આવ. ડર નહિ.”
૨૫૯. ભીમે પ્રબોધેલ રાજધર્મ અરાજકતા (chaos) – અંધાધૂંધીને અનુભવ મહાભારતકારને પૂરેપૂરો છે. પ્રજા પર સૌથી મોટી વિપત્તિ કેઈ વરસી શકે એમ હોય તે તે અરાજક્તા, અતંત્રતા, અંધાધૂંધી,-એવી તેની માન્યતા છે. રાજ્યનું મહત્ત્વ આ કારણે, એને મન એક ખાસ પ્રકારનું છે. ઘોડાને જેમ લગામ, અને હાથીને જેમ અંકુશ, તેમ ઢોરા પ્રવ્ર “પ્રજાનું નિયમન” એ નરેન્દ્રધર્મ, રાજધર્મ. રાજ્ય જ્યારે કેાઈ એક વ્યક્તિને આધીન ન હતાં સ્વશાસિત હોય, ત્યાં પણ આ તે સત્ય જઃ લેકને અંકુશમાં રાખવાને ધર્મ તે સરકારનો ખરો જ. Rule of Lawને સ્થાપિત કરવાની જવાબદારી પ્રત્યેક પ્રકારની સરકારની.
યુધિષ્ઠિર દાદાને સૌ પ્રથમ આ પ્રશ્ન પૂછે છેઃ “તએ રાનવન પ્રદિપ સૌથી પહેલાં રાજવીના ધર્મો અંગે કહો.”
ભીષ્મ મંગલાચરણ “ઉત્થાન થી કરે છે. રાજામાં–શાસનકર્તામાં ઉત્સાહ-ઉલ્લાસની પરિપૂર્ણતા હેવી જોઈએ ઃ ઉત્સાહ-ઉલ્લાસપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com