________________
અગ્રણીઓમાં જાગી હશે અને પોતાની ર્દષ્ટિએ જે ઊણપો એમાં રહી ગયેલી એમને વરતાઈ હશે, તે બધીયને તેમણે પિતાની સ્વતંત્ર, અથવા પિતાની પાસેની પરંપરાગત રચનાઓ દ્વારા પૂરી કરી હશે. શરશય્યા પર સૂતેલ ભારતના પ્રાચીન પરંપરાના તજજ્ઞ ભીષ્મ પિતામહ પિતાના પૌત્રોપ્રપૌત્રો આદિની ભાવિ સંતાતને દૃષ્ટિ સમક્ષ રાખી યુધિષ્ઠિરને નિમિત્ત બનાવીને સાંસ્કૃતિક “પરંપરાઓનું નિરૂપણ કરે–એ માળખું સૌને એટલું બધું આકર્ષક અને ઉચિત લાગ્યું હશે કે પછી ભીષ્મના–એ અંતિમ મહાનિવેદનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને લગતે કોઈ પણ વિષય અસ્કૃષ્ટ ન રહેવું જોઈએ, એમ તેમને લાગ્યું હશે. શાતિપર્વ અને અનુશાસનપર્વમાં ચર્ચાયેલા વિષયેની યાદી ઉપર દૃષ્ટિ કરવાથી આટલું તે સહેજે જ સમજાઈ જશે.
“સેકસના વિષયની ચર્ચાને આપણું પ્રાચીને કેવી બેધડક રીતે જેતા હતા તે વિષે અનુશાસનપર્વ પળભર તે આપણને આશ્ચર્યચક્તિ કરી દે એવું અજવાળું પાડે છે. “શું આ લેકે અદ્યતનેને પણ પાછા રાખી દે એટલા બધા (free) મુક્ત હશે, આ બાબતમાં,” એમ આપણને થાય છે. પણ આસન્નમૃત્યુ પરીક્ષિતને શુકદેવજી જેવા એક મહાયોગીએ એને જીવનના છેલ્લા દિવસોમાં જે જ્ઞાન આપ્યું છે તે જોતાં – ભાગવત વાંચતાં – આપણા પૂર્વજોની આ બાબતની શંખલારહિતતા અંગે જરા પણ આશ્ચર્ય ઉદ્ભવવું ન જોઈએ. (ભાગવતને રચનાકાળ મહાભારત પછીનો છે એ જાણીતું છે.)
અનુશાસનપર્વને આરંભ પણ – લગભગ શાન્તિપર્વની પેઠે જ – યુધિષ્ઠિરના વિષાદથી થાય છે. યુધિષ્ઠિરને પરંપરાએ “ધર્મને સંતાન માન્ય છે, એ જોતાં એને વિષાદ હોય તેમાં કંઈ નવાઈ પણ નથી. વિષાદ” એ ધર્મવૃક્ષનું આદિબીજ છે. આશ્ચર્ય જે ક્યાંય હોય, તે તે એ છે કે અર્જુન પણ યુધિષ્ઠિરની પેઠે–અને એના ત્રીજા સહોદર ભાઈ ભીમસેનથી ઊલટી રીતે, વિવાદપ્રધાન આત્મા છે; અને અર્જુનને એ જ પરંપરાએ ઈન્દ્રનો પુત્ર માને છે! ઈન્દ્રની પ્રતિષ્ઠા, અર્જુનનું પિતૃપદ તેને સાંપડયું તે વખતે, પાછળથી તે જેટલી હલકી થઈ ગઈ હતી, તેના પ્રમાણમાં ઘણું જ સારી હોવી જોઈએ એમ લાગે છે.
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com