________________
૮૯
એમને જમાને જે જમાનાને આદર્શ ગણુતા હતા તે જમાનાની વ્યાખ્યા શું હતી તેના પર અરું અજવાળું પાડે છે.
આખી સૃષ્ટિ કાલાત્મક છે, દરેક જનુ મૃત્યુને આધીન છે,” એ સત્ય ભીષ્મને મોંએથી સાંભળતાંવેંત યુધિષ્ઠિરને એક બીજો વિચાર આવ્યોઃ શું શા–પ્રેરિત એ મૃત્યુ ઉપર કેઈ જ વિજય નહિ મેળવી શકતું હોય ? અને મેળવી શકતું હશે, તે તે કેવી રીતે, કઈ શક્તિને પ્રતાપે ? આ ભીષ્મ તેના આ કુતૂહલને શમાવવા અર્થે પણ એક વાર્તા કરે છેઃ . પ્રાચીન કાળમાં દુર્યોધન નામે એક આદર્શ રાજવી હતે. નર્મદા નામની નારીને તેના પર પ્રેમ થયું, અને તે તેને પરણી. સુદર્શના નામે એક દીકરી આ દંપતીને ત્યાં અવતરી. એ સુદર્શના પર અમિને પ્રેમ થયે. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અગ્નિએ (અથવા અગ્નિ નામના કોઈ બ્રાહ્મણે!) એનું માગું કર્યું; પણ દુર્યોધને અગ્નિના એ માગાને ઈન્કાર કર્યો. બે કારણે એક તે અગ્નિ ગરીબ હતો; અને બીજું, એ બ્રાહ્મણ હતા, ક્ષત્રિય ન હત, અ-સવર્ણ હતો.
વ્યાસજી લખે છે કે દુર્યોધનના આ ઈન્કારથી તેને યજ્ઞ નષ્ટ થયે. (યજ્ઞભાવના પરિગ્રહ કે વર્ણ, કશા જ બંધનને સ્વીકારતી નથી! વર્ણગ્રહ પણ એક પ્રકારનો પરિગ્રહ જ છે ને ?) રાજાએ બ્રાહ્મણની કને જઈને ધા નાખી : “આમ કેમ થયું ? મારે યજ્ઞાગ્નિ એકાએક ઓલવાઈ શા માટે ગયે ? તમારા કેઈ દોષે? કે પછી મારા જ દેશે?” બ્રાહ્મણે એ વિચારણા કરી ફેંસલો સંભળાવ્યું: “સુદર્શના અગ્નિને ઝંખે છે, અને અગ્નિ સુદર્શનાને ઝંખે છે, છતાં તમે “પરિગ્રહ, અને “વર્ણની દીવાલો એ બે વચ્ચે ઊભી કરી છે, એ જ કારણ છે.”
રાજા સમજી ગયે. અમિ અને સુદર્શના દંપતી બન્યાં. આ દંપતીને સુદર્શન નામે એક પુત્ર થયે, અને એ સુદર્શન, બીજાએ રમકડાં વડે રમતા હોય એટલી નાની ઉંમરે વેદને પારંગત બને.
આ સુદર્શન ઘવતી નામની એક કન્યાને પર. સુદર્શન અને ઓઘવતી કુરુક્ષેત્રમાં નિવાસ કરી રહ્યાં. આ સુદર્શનને મૃત્યુને જીતવાની ઈચ્છા થઈ. એાઘવતીને તેણે કહ્યું: “હું મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવા માગું છું. અને તેને એક રસ્તે મને મૂક્યો છે. તે રસ્તે છે આંગણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com