________________
૧૦૦
કુરુશ્રેષ્ઠ ગાંગેયને અંત્યેષ્ટિ સંસ્કાર આવી રીતે આપીને સે ભાગીરથીતીરે ગયા.
વ્યાસ, નારદ, અસિત, કૃષ્ણ તથા ભરત–સ્ત્રીઓ તેમ જ નગરમાંથી આવેલ પ્રજાજને સૌએ પિતામહને ઉદકાંજલિ આપી.
આ વખતે પિતામહનાં માતા ગંગાજી ગંગાના જલપ્રવાહમાંથી બહાર આવ્યાં. શોકવિવલ હતાં, વિલાપ કરી રહ્યાં હતાં. સમગ્ર કૌરવોને સંબોધીને તેમણે કહ્યું :
“રાચિત શીલસંપન્ન, પ્રજ્ઞ, સુહદ-સમૃદ્ધ, કુરુવૃદ્ધોને સત્કર્તા, પિતૃભક્ત, મહાવ્રત આ મારે પુત્ર, જેને જમદગ્નિના પુત્ર પરશુરામ દિવ્ય અસ્ત્રો વડે પરાજિત નહોતા કરી શક્યા, તે શિખંડી વડે હણા. (આ છે કાળની લીલા).
“જગતમાં જેને જો નથી એવો આ મારો પુત્ર શિખંડી વડે. હણાયો.”—હૃતોડ રિદિના
પિતાના પુત્રનાં પરાક્રમોને સંભારી સંભારીને અને આ કેત્તર પુરષ આવા શિખંડી જેવાના હાથે પરાજિત થયો એ હકીકતથી દુભાઈને ગંગા આમ છાતી ફાટ રુદન કરી રહી હતી તે વખતે શ્રીકૃષ્ણ (વિમુ: રામો:) આ પ્રમાણે આશ્વાસન આપ્યું
“શોક ન કરો મા; તમારો પુત્ર તે પરમ ગતિ પામ્યો છે. ક્ષાત્રધર્મ અનુસાર એ સમરભૂમિ પર લડ્યો અને પડ્યો ! પણ તે તમે ધારો છે તેમ શિખંડીના હાથે નહિ, પણ ધનંજય અર્જુનના હાથે ! બાકી છે એ કુરુ-સિંહને યુદ્ધમાં ખુદ ઈન્દ્ર પણ હણી શકે તેમ નહોતું. પોતાની જીવનલીલા પૂરી થઈ છે એમ સમજીને વેચ્છાએ એમણે આ મૃત્યુ અર્જુનને હાથે સ્વીકારી લીધું, માટે તમે શેક તજી દે અને વિગત–વર થઈ જાઓ !”
કૃષ્ણ પછી વ્યાસે પણ માતાને આશ્વાસનના બે શબ્દો કહ્યા.
ગંગામાતા શાન્ત થયાં અને શેક તજીને પાછાં સ્વસ્થાને ચાલ્યાં ગયાં, અને જતાં જતાં એમણે આપેલ અનુજ્ઞાને માથે ચઢાવીને કૃષ્ણ આદિ ક્ષત્રિયવરે પણ સૌ પોતપોતાને સ્થાને પાછા ફર્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com