________________
૧૧૪
ભારતના કાળમાં અસ્પૃશ્યતાનું પણ પ્રતીક છે. આ વિરોધાભાસમાં સંસ્કૃતિ–સંઘર્ષને એક આખો ઈતિહાસ અંકિત પડ્યો છે!
વળી ઉત્તક માટે આ પ્રસંગે થીમન એવું વિશેષણ વાપરીને મહાભારતકારે એની બુદ્ધિ ઉપર એક અત્યંત વેધક કટાક્ષ કર્યો છે.
આ ઈમાન ઉત્તકે જે માતંગને જોયો તે કેવો હતો ?
ભીષણ, બાણોથી ભરેલ ભાથાં જેની પીઠ પર બાંધ્યાં હતાં તેવો, બાણ અને ધનુષ જેણે ધારણ કર્યા છે, તે ! ” ઉત્તકે જોયું કે કૂતરાઓથી વીંટળાયેલા ચાંડાલની નીચે થઈને એક ઝરણું વહ્યું જાય છે, જેમાં પુષ્કળ પાણી છે !
ચાંડાલે હસતાં હસતાં ભગુકુલ-ઉત્પન્ન એ ઉત્તકને કહ્યુંઃ “હિં ! આવ. લે આ પાણ! તને તૃષાત જોઈને મને કરુણા ઉપજી છે !'
પણ ઉત્તક તો માતંગ અને શ્વાનને જોઈને પોતાની સ્વસ્થતા ગુમાવી બેઠે હતો. તેનું પરંપરાગત માનસ ક્ષુબ્ધ થઈ ગયું હતું. પોતે જાણે ભ્રષ્ટ થઈ ગયો હોય એમ એને લાગતું હતું ! મનમાં ને મનમાં તેણે પ્રવુતને પણ અનેક ગાળો ચોપડાવી દીધી!–ઉગ્ર વાણી વડે ! “કૃષ્ણ મને આવી રીતે પાણી પિવડાવવા માગે છે, એમ !”
પેલા માતંગે તે ઉત્તમ મુનિને ફરી ફરી “વિવસ્વ –“પી” એવો અનુરોધ ક રાખે; પણ ઉત્તકને અંતરાત્મા ખળભળી ઊઠયો હતો ! સ્કૂલની આરપાર જઈ સૂક્ષ્મને જોવાની તેનામાં શક્તિ જ નહોતી રહી.
અને માતંગ તેમ જ શ્વાને થોડીક ક્ષણો બાદ અદશ્ય થઈ ગયાં– સ્રોતની સાથે.
અને “કૃષ્ણ મને આબાદ છેતર્યો” એવી ભોંઠપ ઉત્તક અનુભવી રહ્યા હતા....
તે જ વખતે બરાબર એક બીજું કૌતુક તેણે દીઠું. શંખ-ચક્ર-ગદા-પદ્મ ધારણ કરેલ શ્રીકૃષ્ણ ત્યાં આગળ પ્રગટ થયા !
ઉત્તકે તે તેમને જોતાંવેંત ઊધડા લીધાઃ “બ્રાહ્મણશ્રેષ્ઠને તમે આવાં પાણી પાવા માગે છે, પુરુષોત્તમ !”
બ્રાહ્મણશ્રેષ્ઠોને જેવું પાણી પાવું ઘટે તેવું પાણી જ મેં તમારી સન્મુખ પ્રગટ કર્યું હતું, મહર્ષિ ! પણ તમે તે જોઈ શક્યા નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com