________________
શીલને પ્રભાવ, ધર્મ, સત્ય, સદાચાર, બળ અને શ્રી –'બધું શીલાશ્રિત છે. આપદધર્મ. મોક્ષધર્મ,
છેલ્લા મોક્ષધર્મ–પર્વના ૧૯૧ અધ્યાય છે અને તે પહેલાંના આપદધર્મ પર્વના કર અધ્યાય છે. ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદનું સરળ પ્રવાહઝરણું, એક તરફ બહુશાખ અને બીજી તરફ જટિલ બનીને અંતે કાઈ મહાનદીમાં કે સમુદ્રમાં સમાઈ જવાને બદલે કોઈ મહારણમાં લુપ્ત થઈ જાય છે, એમ લાગ્યા વગર રહેતું નથી. શાંતિપર્વને પ્રારંભ શ્રીકૃષ્ણના સૂચનથી ભીષ્મ-યુધિષ્ઠિર સંવાદ રૂપે થયેલ છે, એ હકીકત જ જાણે એ પર્વના અંતમાં વિસરાઈ ગઈ લાગે છે. આદિપર્વથી માંડીને તે ઠેઠ સ્ત્રીપર્વ સુધી અને તે પછી અશ્વમેધથી માંડીને તે ઠેઠ સ્વર્ગારોહણ પર્વ સુધી વ્યાસની જે હદયંગમ કલમ સર્વત્ર દૃષ્ટિગોચર થાય છે તે આ શાંતિપર્વના શરૂઆતના થોડાક અધ્યાય પછી જાણે સાવ બદલાઈ ગઈ છે. કલાકાર અને કથાકાર વ્યાસને બદલે વાચકને જાણે સંપાદક અને પુરાણપરસ્ત વ્યાસની કલમ જ બહુધા જોવા મળે છે; અને એ બે કલમો વચ્ચે એટલે મોટો અને આશ્ચર્યકારક તફાવત દેખાય છે કે એ વ્યાસજી એ જ હશે તે વિષે શંકા ઊપજે. શાંતિપર્વ તેમ જ અનુશાસનપર્વના ઘણુ બધા ભાગનું કર્તુત્વ કાઈ એક જ વ્યક્તિનું નહિ, પણ છૂટીછવાઈ અનેક વ્યક્તિઓનું દેવું જોઈએ એમ માનવા માટે કારણે પૂરતા પ્રમાણમાં એ લખાણોમાંથી જ મળી રહે છે. શાન્તનુના કુળની કથાનો અત્યંત સુંદર રીતે શણગારેલો સંધ આદિપર્વરૂપી એક કલાત્મક કેડી પર રવાના થયો અનેક વન-ઉપવને, સરોવરે, સરિતાઓ, શિલ, નગર, ગામો સોંસરવી થઈને એ કેડી સ્ત્રી પર્વના અંત સુધી અને શાતિપર્વના આરંભ સુધી પહોંચી અને પછી ગમે તે કારણે અદશ્ય થઈ ગઈ—સાથે સંઘ પણ અદશ થઈ ગયે : કડી અને સંધ બને કેાઈ પણ જાતના આયોજન વગરના ગીચ જંગલમાં જાણે ખોવાઈ ગયાં. તે પછી આશ્વમેધિક પર્વના આરંભમાં નજડે પડે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com