________________
જ્યાં સુધી જાતના પય પર પી. જ છે કલ્પને પરિતાઓ વહે છે, ત્યાં સુધી રાસાયણજા આવતી રહેશે. આ મહાભારતનાં ઉપરનાં શ્રીકૃષ્ણવાચનમાં' શમાયણના આ અંકની પ્રેરણા રહેલી હશે ? કે વસ્તુસ્થિતિ એથી ઊલટી હશે? શાતિપર્વની આજે સેંકડો વર્ષોથી આપણે ત્યાં જે પ્રતિષ્ઠા છે તેનું મૂળ પણ આ જ શ્લેકમાં તેમ જ શ્રીકૃષ્ણનાં આવાં જ બીજાં વચનમાં છે. - હવે ભીષ્મ યુધિષ્ઠિર તરફ વળે છે. હવે સિંહાસનને અધિપતિ એ છે. શાસન એને ચલાવવું છે. એટલે સૌના વતી એ જ પિતામહને ધર્મના રહસ્યને અંગે પ્રશ્નો કરે એ ઉચિત છે. યુધિષ્ઠિરને પ્રશ્નો પૂછવાનું કહેતાં ભીષ્મ એની પ્રશંસા કરે છે. (કદાચ ભીષ્મ એના મનની સ્થિતિ સમજી ગયા હોય, અને એની ભોંઠપ દૂર કરવા માટે પણ આમ કરતા હેય.)
“ધર્મપરાયણ કુરુવંશીઓમાં જેની બરાબરીને એક પણ નથી, એ યુધિષ્ઠિર મને પૂછે.
ધૃતિ, દમ, બ્રહ્મચર્ય, ક્ષમા, ધર્મ, ઓજસ, તેજસ્, સત્ય, દાન, તપ, શૌર્ય, શાનિ, દાઢ્ય અને અસંભ્રમ જેનામાં છે તે યુધિષ્ઠિર મને પૂછે.
વાસનાઓ, વિઠ્ઠવલતા, ભય કે લાલચ – કશાને વશ થઈને જે અધર્મ કદી આચરતા નથી, એ યુધિષ્ઠિર હવે ભલે મને પ્રશ્નો પૂછે.” ' પણ આ શું? યુધિષ્ઠિર તે નીચું ઘાલીને ઊભો છે. પિતામહના મોંમાંથી જેમ જેમ પ્રશંસાનાં વચને નીકળતાં જાય છે તેમ તેમ તેની ભોંઠપ જાણે વધતી જાય છે અને તેનું માથું નીચું ને નીચું નમતું જાય છે. કૃષ્ણ તેની પરિસ્થિતિ ભીષ્મને સમજાવે છે, “યુધિષ્ઠર શરમાય છે, દાદા.”
કેમ ?”
એને બીક લાગે છે કે આપ કદાચ એને શાપ આપશો!”
“પણ શા માટે ?” - “યુદ્ધમાં એને હાથે અને એને નિમિત્તે થયેલી હિંસા માટે!
પૂજાને યોગ્ય વડીલો અને ગુરુઓને પિતે બાણોથી વીંધ્યા છે, તે હકીકતને તેનું હૃદય ભૂલી જ નથી શક્યું, પિતામહ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com