________________
૬૪
ભીષ્મના પ્રત્યુત્તર શ્રીકૃષ્ણની સ્તુતિ જેવા છેઃ दाह माहः श्रमश्चेव मो ग्लानिस्तथा रुजा । तव प्रसादाद् वार्ष्णेय सद्यः प्रतिगतानि मे ॥
“ હવે તેા બધું જ મને હથેળીમાંના ફૂલની પેઠે સ્પષ્ટ દેખાય છે. હવે તમારી કૃપાથી વેદ, વેદાન્ત, સ્મૃતિ, આદિ અનુસાર ધર્મોની વ્યાખ્યા હું કરી શકીશ. દેશધર્મ, જાતિધર્મ, કુલધર્મ, આશ્રમધર્મ,રાજધર્મ -- માનવીને પ્રત્યેક સ્થિતિમાં કયા ધર્મ વિહિત છે, તેનું સ્પષ્ટ દર્શન મને તમારા અનુગ્રહથી, હે કૃષ્ણ, હવે થઈ રહ્યું છે. તમારા ધ્યાનથી સમૃદ્ એવા હું (યુવેર્વાશ્મ સમાવૃત્તઃ) યુવાન જેવા થઈ ગયા છું. અને છતાં, તમે જાતે જ શા માટે યુધિષ્ઠિરને ધર્મોપદેશ નથી કરતા, એ અંગેનુ કુતૂહલ તા રહે જ છે. પણ તમારે કદાચ મારા માંએથી જ બધુ ખાલાવવું હશે. જે હા તે, હું તૈયાર છું, દેવ ! ’’
કૃષ્ણના પ્રત્યુત્તર અનેક દૃષ્ટિએ નોંધપાત્ર છે. પહેલી વાત તે એ કે અહીં કૃષ્ણે ગીતાના દર્શમા અને અગિયારમા અધ્યાયના શ્રીકૃષ્ણની પેઠે ખેલે છે, દેવકી અને વસુદેવના પુત્ર તરીકે નહિ, પણ સચરાચર સૃષ્ટિમાં વિલસતા–સચ્ચિદાનંદતત્ત્વના પ્રતિનિધિ તરીકે ખેલે છે. મૂળ સંસ્કૃત બ્લેકમાં જ તેમને આ પ્રસંગે સાંભળવામાં આનંદ આવશે :
यशसः श्रेयसश्चैव मूलं मां विद्धि कौरव । मत्तः सर्वेऽमिनिर्वृत्ता भाषाः सदसदात्मकाः ।। शीतांशुन्द इत्युके लोके को विस्मयिष्यति । तथैव यशसा पूर्णे मयि को विस्मयिष्यति ।।
*
यच्च त्वं वक्ष्यसे भीष्म पांडवायानुपृच्छते । वेदप्रवाद इव ते स्थास्यते वसुधातले ।
*
एतस्मात् कारणाद् भीष्म मतिर्दिव्या मया हि ते ।
दत्ता यशो विप्रथयेत् कथं भूयस्तवेति ह ||
પેાતાની રામાયણ-રચના અંગે વાલ્મીકિએ કહેલ શબ્દા આ પ્રસંગે
સ્વાભાવિક રીતે જ યાદ આવી જાય છે
*
*
यावत् स्थास्यति गिस्यः सरितश्च महीतले । तावद रामायणकथा भूतले विचरिष्यति ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com