________________
ભૂમિ શ્ચમી જવાની, જે માં આવનારને સર્પગ્રી જય છે .તેમ એટલે રાજ્યહિતથી લાકહિતથી વિપરીત વર્તન કરનારને પછી જલે તે ગુરુ કે મિત્ર હાય, તરત જ હષ્ણુવા.
गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानत । उत्पथप्रतिपन्नस्य दंडो भवति शाश्वतः ॥
લોકહિતની સાધના એ જ રાજવીઓના સનાતન ધર્મ છે. ( સ્ટોરન તમેવાત્ર રાશાં ધર્મઃ સનાતનઃ) એમ કહીને પછી એ હિતની સાધના માટે કયા કયા ગુણી આવશ્યક છે તે વીગતવાર વર્ણવે છે, અને એ સૌમાં · પ્રજારક્ષણ ’પ્રથમ સ્થાને છે, એ બતાવવા માટે કહે છે કે સમુદ્ર વચ્ચે ભાંગી ગયેલી નાવના ત્યાગની પેઠે, આ છ વસ્તુઓના ત્યાગ માણસ માટે અનિવાર્ય છે : (૧) પ્રવચન ન કરનાર આચાર્ય, (૨) મ`ત્રો ન ભણી શકે એવા ઋત્વિજ, (૩) રક્ષણ ન કરી શકે એવા રાજા, (૪) અપ્રિયવાદિની ભાર્યા, (૫) ગામમાં જ ભરાઈ રહેવા માગતા ગોવાળ, અને (૬) વનમાં જ વસવા માગતા નાપિત ( વાણંદ).
*
:
આ પ્રમાણે મેં તને ‘ રાજધર્માં'નું · નવનીત ’નિતારી આપ્યું છે, યુધિષ્ઠિર,” ઉપસંહાર કરતા હેાય એવી રીતે ભીષ્મ કહે છે, “બૃહસ્પતિ, વિશાલાક્ષ, કાવ્ય, સહસ્રાક્ષ ઈન્દ્ર, મનુ, ભરદ્વાજ વગેરે આ રાજશાસ્ત્ર(Political Scicnce)ના પ્રòતારઃ આદ્ય વિચારકેા છે. એ બધા ‘રક્ષા’ના ‘ધર્મ”ને સૌથી વધુ અગત્યના ગણે છે; અને એ ધર્મનાં સાધને તેમણે આ પ્રમાણે વર્ણવ્યાં છેઃ ચાર, પ્રણિધિ, યોગ્ય સમયે અ-મમતાયુક્ત દાન, વિવેકપૂર્વક ( પ્રજા પાસેથી ) ધનપ્રાપ્તિ, સજ્જનાના સંગ્રહ, શૌર્ય, દાઠ્ય, સત્ય, પ્રજાહિત, અને સરળ તેમ જ કુટિલ બન્ને ઉપાયો વડેશ ઝુપક્ષનું ભેદન, ઋણું અને પડું પડું થઈ રહેલાં ‘કેતા ’ની દેખભાળ તથા મરામત, બન્ને પ્રકારના દંડના પ્રયાગ, સજ્જનાના અ-પરિત્યાગ, કુલીનાની માવજત, સંગ્રહ કરવા લાયક વસ્તુઓના સંગ્રહ, બુદ્ધિમાનની સેવા, સૈન્યોની પ્રસન્નતા, પ્રજાની દેખભાળ, કર્તવ્ય કર્મ વિશે ‘અ-ખેદ’–બિનથાક ઉદ્યોગ, કાનું વિવર્ધન, શહેરાનું સંરક્ષણ, અ-વિશ્વાસ ’, શહેરીઓના સધા રાજ્યને માથે ચઢી ન બેસે એવી રીતનુ ં તેમનું ‘ ભેદન ’, શત્રુપક્ષમાં રહેલ મિત્રોની શેાધ અને માવજત, સેવાના ‘ઉપજાપ’, નગરાની પ્રત્યક્ષ જાણકારી, કાઈના પ્રત્યે વધુપડતા વિશ્વાસ ન રાખવા, સૌને આશ્વાસનરૂપ બની રહેવું,
<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com