________________
યુધિષ્ઠિર, મારું મન અત્યારે દેડી ગયું છે. વિદ્યાઓને જે આધાર છે; ભૂત, વર્તમાન તેમ જ ભવિષ્ય–ત્રણે કાળને જે જાણકાર છે; ધર્મને જાણનારાઓમાં જે શ્રેષ્ઠ છે, અને જેનું નિધન થતાં આ પૃથ્વી ચંદ્ર વગરની રાત સમી બની રહેવાની છે, તે ભીષ્મ પાસે મારું મન દેડી ગયું છે. મારી તને સલાહ છે, યુધિષ્ઠિર, તું એમની પાસે એમની આ છેલ્લી ઘડીએ પહોંચી જાય અને એમની પાસે જ્ઞાનની જે અખૂટ સમૃદ્ધિ ભરી પડી છે, તે પ્રાપ્ત કરી લે. એકવાર તેમની આંખ મીંચાશે તેની -સાથે તેમને એ જ્ઞાનભંડાર પણ અસ્ત પામી જશે. માટે હું તને આગ્રહપૂર્વક કહું છું, યુધિષ્ઠિર, કે એ જ્ઞાનભંડારને વિસ્મૃતિના અંધકારમાં લીન થતા તું બચાવી લે.”
યુધિષ્ઠિર તે આ સાંભળતાંવેંત ગળગળો થઈ ગયો. પિતામહનું મૃત્યુ હવે નજીકમાં છે, એ જાણતાં તેની આંખે આંસુઓથી ભીંજાઈ ગઈ. “ભીમ જ્ઞાન અને અનુભવને અભૂતપૂર્વ ભંડાર હતા એ તે એ જાતે જ હતો, એટલે શ્રીકૃષ્ણની સૂચના સાંભળતાંવેંત તેમની પાસે જવાની તેની અધીરાઈ વધી ગઈ.
તમે મારી સાથે ચાલો, દેવ,” કૃષ્ણને તેણે વિનતિ કરી, અને કૃષ્ણ સાત્યકિને પિતાને રથ તૈયાર કરાવવાની સૂચના કરી અને સાત્યકિના સૂચનથી દારુક તરત જ રથ તૈયાર કરીને હાજર થયો. કૃષ્ણના રથનું આ વખતનું વર્ણન નોંધપાત્ર છે. વ્યાસજી લખે છેઃ
स सात्यकेराशु वचो निशभ्य रथोत्तमं कांचनभूषितांगम् । मसारगल्वर्कमयैर्विभंगेविभूषितं हेमनिवद्धचक्रम् ।। दिवाकरांशुप्रभमाशुगामिनम् विचित्रनानामणिभूषितान्तरम् । नवोदि त सूर्यमिव प्रतापिनम् विचित्रतार्थ्यध्वजिनम् पताकिनम् ।। सुग्रीवशैब्यप्रमुखैर्वराश्चैः मनोजवैः काञ्चनभूषितांगैः। सयुक्तमावेदयदच्युताय कृताञ्चाल: दारुको राजसिंह ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com