________________
પર
આ લેહી ક્યાંથી આવ્યું ?” તેમણે પૂછયું. કણે બધી વાત કરી અને કૃમિ જે હજુ ત્યાં જ હતું, તેની સામે આંગળી ચીંધી. પરશુરામ સમજ્યા.
આટલી શારીરિક પીડા શાંત ચિત્તે સહી શકે તે બ્રાહ્મણ તે ન જ હોય.” તેમને થયું. કર્ણને તેમણે ધધડાવ્યું; “સાચું બોલ, કોણ છે તું ?'
ક પેટછૂટી બધી વાત કરી. પરશુરામે આશ્રમમાંથી તેને કાઢી મૂક્યો. “આવી રીતે કપટ કરીને જે શસ્ત્રાસ્ત્રો તેં પ્રાપ્ત કર્યા છે, તેમાંથી એક પણ તને અણીની વેળાએ કામ નહિ લાગે,’ એ શાપ દઈને.” પણ આટલેથી વાતને વીંટી લે તે એ નારદજી શાના!
કર્ણ કૃમિ સામે આંગળી ચીંધી અને પરશુરામે જેવું એની સામે જોયું તે જ એ કૃમિ મૃત્યુ પામ્ય, અને અંતરિક્ષમાં લાલ ડોકવાળા, કાળા શરીરવાળા અને વીજળીની પેઠે ઝગઝગતે એક રાક્ષસ દષ્ટિગોચર થયો. “તમારું કલ્યાણ થાઓ!' રાક્ષસે ભાર્ગવને આભાર માન્યો. “તમે મને આ નરકની યાતનાથી છેડાવ્યો છે.”
“કોણ છે તું ?”
વર્ષો પહેલાં હું તમારા પૂર્વજ ભૂગને સમવયસ્ક હતો,” રાક્ષસે કહ્યું: “દંશ મારું નામ હતું. ભગુની પત્નીના રૂપથી લલચાઈને મેં તેનું હરણ કર્યું હતું અને ભૃગુએ મને શાપ આપ્યો હતો,” વગેરે.
પણ આપણે હવે કર્ણ પાસે પાછા આવીએ. પરશુરામના આશ્રમમાંથી એકસામટા બે શાપ લઈને કર્ણ સીધે દુર્યોધન પાસે આવ્યા. દુર્યોધન તે પિતાને ભાઈબંધ જગતના શ્રેષ્ઠ શસ્ત્રગુરુ પાસેથી અસ્ત્રવિદ્યા શીખીને આવ્યો છે એ જાણીને ખુશખુશ થઈ ગયે.
તે પછી થોડાક જ વખતમાં કર્ણની અસ્ત્રવિદ્યાની કસોટી થઈ, દુર્યોધનની દૃષ્ટિએ. કલિંગદેશમાં રાજપુર નામના નગરમાં એક રાજકન્યાને
સ્વયંવર હતું. ત્યાં શિશુપાલ, જરાસંધ, વક્ર, રુકમી વગેરે અનેક પ્લેચ્છ તેમ જ આર્ય રાજવીઓ ભેગા થયા હતા. દુર્યોધન પણ કર્ણની સાથે ત્યાં ગયે હતે. કન્યા એક પછી એક રાજવીના નામ અને ગુણનું વર્ણન સાંભળતી જાય છે અને આગળ ચાલતી જાય છે. દુર્યોધનની પાસેથી પણ તે એવી જ રીતે પસાર થઈ ગઈ. ગર્વિષ્ઠ દુર્યોધનને આમાં પોતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com