________________
૫૩
અપમાન લાગ્યું. એટલે કન્યાને એણે ત્યાં ને ત્યાં જ આંતરી અને બધા જ રાજાઓને પડકારીને એનું હરણ કર્યું. રાજાએ ગુસ્સે થઈ ગયા. સૌએ સામટ હલ્લે કર્યો, જેને સચોટ જવાબ કણે એકલે હાથે આખે.
આ પછી થોડા સમય બાદ જરાસંધે કર્ણને દ્વયુદ્ધનું આહવાન આપ્યું. કણે તે સ્વીકાર્યું અને જરાસંધના શરીરની નબળામાં નબળી કડી પારખી લઈને તેને હરાવ્યું. જરાસંધ પિતાને પરાજિત કરનાર આ વીર પુરુષ પર પ્રસન્ન થયો. પોતાના તાબાના અંગ દેશનું રાજ્ય તેણે તેને સયું. કણે દુર્યોધનની સંમતિથી તે સ્વીકાર્યું. ચંપા અને માલિની નામનાં અંગદેશનાં બે નગરોને કર્ણ રાજવી હતો, એ સૌ જાણે છે.
આ પરાક્રમી કર્ણ” નારદજી ઉપસંહાર કરે છે, “જેનાં કવચકુંડળ યાચવા માટે ખુદ સુરેન્દ્રને આવવું પડે, પોતાના સમેવડિયા અર્જુનને હાથે રણમાં સામી છાતીએ લડતાં મરાયે, એને શોક હેય?”
મૃત્યુ પામેલા સ્વજનના દુઃખને આઘાત હળવો કરવા માટે આપણે એના ગુણોનું વીગતવાર સ્મરણ–રટણ કરીએ છીએ એના જેવી જ કર્ણના પૂર્વજીવનની આ કથા છે.
કર્ણને આ વૃત્તાન સાંભળીને યુધિષ્ઠિરને શેક ઘટવાને બદલે ઊલટાને વ. પિતાને હાથે થયેલ યુદ્ધકર્મ એ એક મહાભયાનક પાપ હતું, એમ તેને લાગ્યું. એ પાપનું પ્રાયશ્ચિત્ત કોઈ પણ રીતે કરવું જ જોઈએ, એમ તેને થયું
પાપ પુણ્યને બળ ઠેલાય છે,” અર્જુનને તેણે કહ્યું, “અથવા કરેલ પાપને એકરાર કરવાથી, અથવા પશ્ચાત્તાપ અને શ્રુતિ-સ્મૃતિના જપ વડે પણ પાપનું પ્રક્ષાલન કરી શકાય છે. માટે હે અર્જુન, તમારા સૌની રજા લઈને હું વનમાં જવા માગું છું. આ પૃથ્વીનું રાજ્ય હવે તું જ સંભાળી લેજે.”
અને પછી એક તરફ અર્જુન, દ્રૌપદી, અને ભીમ અને બીજી તરફ યુધિષ્ઠિર એમ બે પક્ષે વચ્ચે ગૃહસ્થાશ્રમ વિ. સંન્યાસ અંગે ઠીક ઠીક લાંબી ચર્ચા થાય છે. એક પક્ષ યજ્ઞના અને એ યજ્ઞ જેને આશરે રહેલ છે તે ચર્થનાં વખાણ કરે છે, તો બીજો પક્ષ તપનાં, અકિંચનતાનાં, ભક્ષ્યનાં ગુણગાન ગાય છે. મૃત્યુને કારમો પંજો જે પરિવાર પર અત્યંત ભયાનક રીતે પડ્યો હોય, તેની સ્મશાનવૈરાગ્યકાળની વાતચીત જેવું આ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com