________________
પત્ની હેવાને લહાવો તને મળે છે: ધન્યા વમસિ વાંવાઢિા તારાં બધાંય સુકૃત્યો આજે જ્યાં,” વગેરે.
રાજમાર્ગો વટાવીને રાજપ્રાસાદમાં આવી પહોંચેલ યુધિષ્ઠિરને પછી રાજપુરુષેએ તેમ જ નગરજનોએ તેમ જ ગ્રામજનોએ સત્કાર્યો. પ્રાસાદના પ્રાંગણમાં રથમાંથી ઊતરીને યુધિષ્ઠિર મહેલમાં આવેલ દેવસ્થાનમાં ગયે. વિધિપૂર્વક દેવોને પૂજા સમપ પાછા બહાર આવી તેણે બ્રાહ્મણોનું અને ઋષિઓનું યંગ્ય સન્માન કર્યું. ધૌમ્ય તેમ જ ધૃતરાષ્ટ્ર બંનેને તેમ જ બધા જ બ્રાહ્મણોને તેમ જ ઋષિઓને તેણે રત્ન અને સુવર્ણ વડે, તેમ જ કીમતી વસ્ત્રો તથા દૂઝણી ગાયો વડે જાણે ઢાંકી જ દીધા. અને બ્રાહ્મણે એ પણ વેદના ઘેપ વડે વાતાવરણને ગુંજવી દીધું. એટલામાં તો અસંખ્ય નગારાં ગડગડી ઊઠયાં, અને સંખના મનહર ધ્વનિઓ હૃદયને ડોલાવી રહ્યા.
અને પછી બ્રાહ્મણોનાં આશીર્વચને અને વેદના અને શંખનગારાંના વિનિઓ શાંત થતાં ત્યાં આગળ એક અણધાર્યું કૌતુક થયું.
૨૫૪. ચાર્વાક
* એક ચાર્વાક આપણી પરંપરામાં પ્રસિદ્ધ છે. વેદાદિ ધર્મશાસ્ત્રોમાં શ્રદ્ધા ન રાખનાર, પરલોક અને પુનર્જન્મ તેમ જ આત્મા જેવી કોઈ વસ્તુમાં ન માનનાર, યેનકેન પ્રકારેણ સુખ પ્રાપ્ત કરવું એ જ જેને સિદ્ધાંત છે એવા એક જડવાદી (Materialist) તરીકે એ જાણીતું છે. પણ અહીં જે ચાર્વાકની વાત આવે છે તે એ જ છે કે કોઈ જુદે, એ વિષે શંકાને પૂરેપૂરું સ્થાન છે. વ્યાસજીએ તેને “દુર્યોધનસખા” તરીકે ઓળખાવેલ છે. એ રાક્ષસ છે, અને બ્રાહ્મણને કપટપ ધારણ કરીને આવેલ છે, એમ કહ્યું છે. સંન્યાસીને સ્વાંગ તેણે ધારણ કરેલ છે. અક્ષમાળા, શિખા, ત્રિદંડ આદિથી તે વિભૂષિત છે. આશીર્વાદ ઉચ્ચારવાની ઈચ્છાવાળા હજારે બ્રાહ્મણની વચ્ચે તે ઊભે છે, ઘૂસી ગયો છે. પાંડનું
અનિષ્ટ એ જ એ દુષ્ટનું એકમાત્ર ચિંતવન છે. બ્રાહ્મણની અનુજ્ઞા લીધા વગર જ, યુધિષ્ઠિરને જોતાંવેંત, એ બોલી ઊઠે છેઃ
- “આ બધા બ્રાહ્મણોની વતી હું બોલું છું, યુધિષ્ઠિર, ધિક્કાર છે તને, કુનૃપતિને, જ્ઞાતિ-ઘાતીને! આવડો મોટે સ્વજનસંહાર કરીને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com