________________
એની બહેન સુભદ્રા જ્યારે પોતાના પુત્ર અભિમન્યુના કુશળ સમાચાર પૂછશે, ત્યારે એ એને શું જવાબ આપશે ? વળી આ દ્રૌપદીની દશા પણ એટલી જ ખરાબ છેઃ એના તો ફકત પુત્રો જ નહિ, પિતા અને ભાઈઓ સુધ્ધાં–બધા જ સ્વજને માર્યા ગયા છે.' છે. “ અને એક બીજી વાત પણ એટલી જ દુઃખદ છે, મહર્ષિ! માતાએ અમને મોડું કહ્યું કે કર્ણ અમારે મોટે ભાઈ હતે. અજાણતાં મેં પિતાતુલ મેટાભાઈને નાશ કર્યો, તમે ટુતિ યાત્રાના
લડાઈની શરૂઆતમાં મા તેની પાસે ગુપ્ત રીતે ગઈ હતી તે પણ અમને પછી જાણવા મળ્યું. કેટલે અભિજાત હતો એ! “અત્યારે હું દુર્યોધનને પક્ષ છેડીને તમારા પક્ષમાં આવું માને તેણે કહેલું, “તે હું અનાર્ય, દુષ્ટ અને કૃતધ્ધ ગણાઉં !”—અને છતાં માને એક ખોળાધરી તે એણે આપેલી જ: “એક અજુન સિવાય બીજા કોઈને ઘાત હું નહિ કરું, મા; એટલે તમારા તો પાંચના પાંચ જ રહેશે.”
સાના વા તે સ વા તેને “આ ભાઈ અમારા હાથે માર્યો ગયે એ વાતનું મને ઉત્કટ ખે છે, મહર્ષિ! કર્ણ અને અર્જુન બંને મારી પડખે હોત, તો હું અમરાપુરીને પણ જીતી શકત. પણ માએ મને વેળાસર વાત જ ન કરી. ”. “અને છતાં કર્ણની બાબત ઊંડે ઊંડે મને વહેમ તે હતો જ. ઘત વખતે એના મોંમાંથી નીકળતાં તીણ વાક્યો સાંભળીને મને એના ઉપર ભયાનક ગુસ્સો આવતો હતો, પણ એના પગ તરફ મારી દષ્ટિ જતી અને એ ક્રોધ શાન્ત થઈ જતે; કારણ કે કર્ણના પગ કુન્તીના પગ જેવા હતા, એવું મને લાગતું હતું. તે વખતે કુન્તી અને કર્ણના પગ વચ્ચે આટલું સાદસ્ય શા માટે છે તે મારાથી સ્વાભાવિક રીતે જ સમજાયેલું નહિ.
* “આવા કર્ણના રથનું પૈડું કટોકટીને વખતે ધરતીમાં શા માટે ખેંચી જાય એ જ મને સમજાતું નથી.”
નારદ યુધિષ્ઠિરને આ ભેદ સમજાવે છે: “સાચે જ યુધિષ્ઠિર, મને તે એમ જ લાગે છે કે ક્ષત્રિયે એકમેકના હાથે કપાઈ મરે એવું કઈ યુદ્ધ સરજવા માટે જ કર્ણને જન્મ થયો હતો. કુન્તીને એ પુત્ર સૂતપુત્ર તરીકે પ્રસિદ્ધ થયો. ભીમની શારીરિક શક્તિની, અર્જુનન સ્કૂર્તિની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com