________________
૧૬
આવ્યા ત્યારે એ વિલાપ કરવા લાગ્યા : “ અરેરે, દિવ્ય ચક્ષુઓવાળા પણ ભાવિની ગતિ નથી જાણી શકતા! આ તેા જુએ,
जीयमाना जयन्ति अन्ये जयमाना वयं जिताः ।
શત્રુએ હાર્યા છતાં જીત્યા, અને અમે જીત્યા તેપણ હાર્યા ! ભાઈઓ, મિત્રો, વડીલા, પુત્રો, મત્રીએ સૌને મારીને અમે જીત્યા...અને હાર્યાં! પરાજય જ જેનું ખીજુ નામ છે એવા આ જય શા કામના ? (નયોગ્ય અનયાારો ) ’’
k
યુધિષ્ઠિરને સૌથી વધુ દુઃખ તે એ છે કે જે કામ ભીષ્મ, દ્રોણ, કર્ણ આદિ ન કરી શકયા, તે એના પ્રમાદે કર્યુ.. છેલ્લી રાતે પ્રમાદ શા માટે સેબ્યા ? શા માટે સૌને વિજયના ધેનમાં ઘેરાવા દીધા ? ખરેખર પ્રમાવ છે એ જ મૃત્યુ છે. સાચે જ અમારી સ્થિતિ તેા હવે, એવા વ્યાપારીએ જેવી થઈ કે જેએ સાત સાગરને પાર કરીને અખૂટ સંપત્તિ રળી આવ્યા પણ છેવટે એક નાની અને છીછરી નદીમાં ડૂબી મૂઆ !
પણ યુધિષ્ઠિરને સૌથી મેટી વિમાસણ તે હવે એ છે કે દ્રૌપદીને એ શું માઢું' બતાવશે ! એના તો સર્વનાશ થઈ ગયા – વિજયની વેળાએ જ !
પછી નકુલને એણે દ્રોપદીને ખેાલાવવા ઉપપ્લવ્યમાં પાંચાલનારીઓના નિવાસસ્થાનમાં મેકલો અને પોતે અન્ય સૌની સાથે અશ્વત્થામાએ ભયાનક સ્મશાનમાં પલટી નાખેલા શિબિર તરફ વળ્યેા.
અને શિબિરમાં દાખલ થતાં જ ઊંચા સાદે રડતાં રડતાં તે બેભાન થઈને પૃથ્વી પર પડાયા.
તેના સાથીઓ તેની આસનાવાસના કરતા હતા, એટલામાં તે છાતીફાટ રુઘ્ન કરતી દ્રૌપદીને લઈને નકુલ આવી પહેાંચ્યા. સર્વનાશનુ દૃશ્ય દેખીને એ વધુ ભાંગી પડી. ભીમસેને એને આશ્વાસન આપવાના પ્રયત્ન કર્યો, પણ દ્રૌપદી તેા શાકના આવેશમાં યુધિષ્ઠિરને ટાઢાંમેળ વચના સંભળાવી રહી હતી : “ અભિનંદન છે તમને મહારાજ, પુત્રોને યમને હવાલે કરીને તમે આ આખી પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. હવે તમને અભિમન્યુયે શેના સાંભરે?’” વગેરે; પણ પછી ઘેાડીક જ વારમાં તે પાતાની મૂળ પ્રકૃતિ પર આવી જાય છે મારા પુત્રોને મારનાર અન્યત્થામાને સુયોગ્ય ફ્રેંડ તમે નહિ આપે, ત્યાં સુધી હું અહીં જ રહીશ, આ સ્મશાનમાં જ!”
<<
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com