________________
દ
: “આ રહ્યો છું દેવિ,” તે કહે છે, “તમારા પુત્રને ઘાતક, પાપી, શાપ-જોગ, પૃથ્વીના નાશનું કારણ બનેલો યુધિષ્ઠિર. આપ મને શાપ, માં, મને હવે જિંદગીને મેહ જ રહ્યો નથી; રાજ્ય અને ધનને તે નથી જ નથી.” ': યુતિષ્ઠિર ખરેખર ડરી ગયો હશે–ગાંધારીના સંભવિત શાપથી ? કારણ કે, વ્યાસજી લખે છે, કે ભયભીત એવા યુધિષ્ઠિરને જોઈ ને ગાંધારી નવાર વિંગ્નિઃ– “કશુંયે ન બોલી.”
યુધિષ્ઠિર તેને પગે પડી રહ્યા હત; અને નિઃશ્વાસ નાખતી ગાંધારીએ પિતાની આંખો પરના વસ્ત્ર સોંસરવી તેના પગની આંગળીઓના અગ્રભાગ ઉપર દષ્ટિ કરી; અને
ततः स कुनखीभूतो, दर्शनीयनखो नृपः 2 “જેના નખ એક વખતે દર્શનીય હતા, એવા એ રાજા યુધિષ્ઠિરને નખ ગાંધારીની એ શોકવ્યાકુલ દષ્ટિથી કાળાએશ થઈ ગયા.” અર્જુન આ જોઈએ ભગવાન કૃષ્ણની પીઠ પાછળ જ ભરાઈ ગયો, અને બીજા બધા ભાઈઓ પણ ગભરાટને લીધે હાંફળાફાંફળા થવા માંડ્યા.
એમની આ દશા જોઈને ગાંધારીને દયા આવી, તેનું માતૃત્વ જાગ્રત થયું. તે તેમને સૌને આશ્વાસન આપવા લાગી, અને પાસે જ ઊભેલ તેમની માતા કુન્તી પાસે જવાને તેમને આદેશ આપ્યો. • કુન્તી તે તેમને જોતાવેંત રડવા જ માંડી. પુત્રોના વિજય વખતે આ આંસુ શાં –એવા કંઈક વિચારથી તેણે કપડું આડું રાખીને પોતાની આંખો ફેરવી લીધી. પળ બે પળ આમ હૃદયને હળવું કર્યા પછી ફરી તેણે પોતાના પુત્રો સામે જોયું, ત્યારે તેને જાણે પહેલી જ વાર ખબર પડી કે તેમની કાયાઓ અનેક શસ્ત્રાના ધાવો વડે છિન્નવિચ્છિન્ન હતી; અને એ જ વખતે તેની દષ્ટિ જેના બધા જ પુત્ર રણભૂમિ પર રોળાઈ ગયા છે એવી દ્રૌપદી પર પડી. સાસુ કરતાં વહુની દશા ઘણું જ વધારે કરુણ હતી. સાસુના તે પાંચે પાંચ પુત્રો અઢાર દિવસના શેણિતતાંડવમાંથી ભલે ક્ષતવિક્ષત પણ સલામત બહાર આવ્યા છે, જ્યારે...
પણ કુન્તી દ્રૌપદીને આશ્વાસન આપી શકે, તે પહેલાં તે પદી જ ચિત્કારી ઊઠે છેઃ
. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com