________________
યુદ્ધમાં માર્યા ગયેલા કર્ણ આદિ વિરેની પત્નીએ પણ તેની સાથેના નારીવૃન્દમાં સામેલ હતી. ગાંધારી, છાતી ફાટ રુદન કરતી એકકેને ચીંધતી જાય છે અને શ્રીકૃષ્ણ પાસે હૈયાની વેદના ઠાલવતી જાય છે.
પિતાની પુત્રવધૂઓ સામે આંગળી ચીંધીને કૃષ્ણને તે કહે છેઃ “વચૈતા પુરાક્ષ . આમ જે, કમળનયન, જેમના પતિઓ માર્યા ગયા છે, જેમના કેશ વીખરાઈ ગયા છે, અને જેઓ રવિ કલ્પાન્ત કરી રહી છે, એવી આ સ્ત્રીઓ!
“આમ જે, વિભુ,” એક બીજે સ્થળે કૃષ્ણને એ કહે છે: “આ નારીઓના વીર પુત્રોના મૃતદેહથી આચ્છાદિત આ રણભૂમિ! કર્ણ, ભીષ્મ, અભિમન્યુ, દ્રોણ, દ્રુપદ, શલ્ય વગેરે ગઈ કાલના વિરોધીઓ, બધા વિરોધને એક બાજુએ મૂકીને, જ્યાં એક સાથે જ સેડ તાણને સૂતા છે, એ રણભૂમિ જે! એમનાં સુવર્ણકવચ અને આભૂષણ પણ જે, ઠેર ઠેર વેરવિખેર પડ્યાં છે. અને અહીંતહીં વેરાયેલાં પડેલાં આયુને તે પાર જ નથી. અહીં અત્યારે આનંદમાં જો કોઈ હોય, તે તે ફક્ત આ હિંસક પશુઓ જ છે, જેમના માટે સાક્ષાત્ કાળે આ ઉજાણું તૈયાર કરી છે. જે જે, એમના લોહીખરડ્યા દેહને પેલાં ગીધડાં ફેલી રહ્યાં છે, અને કાગડાએ, સમડીઓ, ગીધ, શિયાળોને તે પાર જ નથી. સુંવાળા પર્ય પર પડ્યા પડ્યા બંદીજનોની બિરદાવલીઓ સાંભળવા ટેવાયેલા આ વીર પુરુષો આજે આ શેણિતસિંચાયેલી રણભૂમિ પર પડ્યા પડ્યા, પિતાનાં શબનું ભક્ષણ કરી રહેલ પશુપંખીઓને કળાટ સાંભળી રહ્યા છે. જરૂર મેં પૂર્વ જન્મમાં કાઈ ઘોર પાપ કર્યું હશે, જેની આ ભયાનક સજા મને અત્યારે મળી રહી છે.”
દુર્યોધનને શબને જોતાંવેંત ગાંધારી કપાયેલ કેળની માફક તૂટી પડી. ધરતી પર ફસડાઈ પડી. રડતી રડતી પાસે ઊભેલ કૃષ્ણને તે કહેવા લાગી ? “આમ જે, કેશવ, યુદ્ધના આરંભ કાળેએ મને હાથ જોડીને પગે લાગવા આવ્યો હતો. “મને આશિષ આપો મા !” એમ કહીને એણે મારી આશિષ માગી હતી, અને મેં એને કહ્યું હતું તો ધર્મસ્તતો ગય: નિર્ભયતાપૂર્વક એ લો એટલા પૂરતું અમરલોકને એ અધિકારી અવશ્ય બની ગયો. એને શોક હું નથી કરતી, કૃષ્ણ, હું તે હવે એકલા અટુલા થઈ ગયેલ ધૃતરાષ્ટ્રનો જ શેક કરું છું ફક્ત. મેં તે બધું જોઈ લીધું, આ જિંદગીમાં, કૃષ્ણ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com