________________
૨૪૬. કાળનાં લેખાં!
વૃદ્ધોનાં પ્રેતકાર્યો– અંતિમક્રિયાઓ – જુવાનોને હાથે થાય એ જ સ્વાભાવિક ક્રમ છે, હોવો જોઈએ, પણ ઠેકઠેકાણે પ્રકૃતિથી વિરુદ્ધ વર્તતા મનુષ્ય પર પ્રકૃતિએ અહીં વેર લીધું છે. અને જુવાની અંતિમક્રિયાઓ કરવાને વૃદ્ધોને વખત આવે છે – યુદ્ધ વખતે તે ખાસ.
સંજયે જ્યારે સર્વનાશના સમાચાર આપીને ધૃતરાષ્ટ્રને સૌની ઉત્તરક્રિયા કરવાનું સૂચવ્યું ત્યારે તે વાતાહિત ફુવ દુઃ– “વંટોળથી ખળભળી ઊઠેલ ઝાડ મૂળમાંથી ઊખડીને પૃથ્વી પર તૂટી પડે, તેમ તૂટી પડ્યો.
ધૃતરાષ્ટ્રને હવે પસ્તાવો થાય છે: “નારદ, પરશુરામ અને વ્યાસ જેવાઓએ મને સમજાવ્યો છતાં હું સમજે નહિ. કૃષ્ણ સમગ્ર સભા સમક્ષ મને દુર્યોધનને રોકવાની સલાહ આપી, તે મેં માની નહિ.”—વગેરે.
પણ અહીં પણ ધૃતરાષ્ટ્રનું ધૃતરાષ્ટ્રપણું જતું નથી, છાનું રહેતું નથી. આત્મપ્રતારણાની કળામાં, જાતને છેતરવાની કાબેલિયતમાં તે પારંગત છે. દેશમાંથી છટકવાની તરકીબો તેને હસ્તગત છે. પહેલાં તે તેની એક વિચિત્ર વાત સાંભળે :
न स्मरामि आत्मनः किंचित्
पुरा संजय दुष्कृतम् ।
હે સંજય, ભૂતકાળમાં મારે હાથે કશું પણ દુષ્કત-કુકર્મ થયું હેય એવું મને યાદ નથી.”
પાંડુ ગુજરી ગયા પછી કુન્તી પુત્રોને લઈને હસ્તિનાપુર આવી, તે વખતે મારા ભાઈને પુત્રો હતા જ નહિ!” એમ કહીને ભાભી તથા
કરાઓને રઝળાવવાની ચેષ્ટાથી માંડીને તે ઠેઠ સંધિ કરવા આવેલ કૃષ્ણના વેણની અવગણના સુધીનાં કુકૃત્યેની એક લાંબી પરંપરા પિતાને
પડે ઉધાર હોવા છતાં ધૃતરાષ્ટ્રનું આ ધરાર-વચન એની માનસિક ઉદંડતાને જ એક પુરાવો છે. કુકર્મોની એની વ્યાખ્યા શું હશે ? દુર્યોધન અને તેના સાથીઓનાં તમામ દુષ્કર્મોની પાછળ તેની પોતાની સંમતિ અથવા અનુમતિસૂચક મૌન જ છે એ શું તે નથી જાણત, જે આમ ખંધી રીતે એ પોતાની નિર્દોષતાનું ગાણું ગાય છે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com