________________
૧૭
યુધિષ્ઠિર તેને સમજાવે છે: “અશ્વત્થામા તે આ ક્રર કાર્ય કરીને ભાગી ગયો. એ કાઈ ઘોર વનમાં જઈને ભરાયો હશે. અમે એને પીછે પકડીએ જ છીએ, મોડો વહેલો એ આપણું હાથમાં આવવાને જ, અને આવશે કે એના પાપકર્મને દંડ પણ અમે એને આપવાના, અને એ એને મળવાને જ! પણ તે મળ્યો એ તમે શી રીતે જાણશે ?”
દ્રૌપદી જવાબ આપે છે: “અશ્વત્થામાના માથા પર મણિ છે, તે હું જોઈશ એટલે મારી ખાતરી થશે કે દુષ્ટને દંડ મળી ગયો છે. એ મણિ તમારા માથા પર જોતી જોતી હું જીવન વિતાવીશ.”
પછી ભીમ તરફ વળીને દ્રૌપદીએ એને વીનવવા માંડઃ “આ કામ તે તમારું છે, ભીમ! અશ્વત્થામા જ્યાં હોય ત્યાંથી એને શોધી કાઢીને યમલોકમાં પહોંચાડો. મારા ભાઈઓ અને પુત્રોને મારનાર એ જીવતે છે, ત્યાં સુધી મને શાતા વળવાની નથી.”
અને ભીમ નકુલને પોતાને સારથિ બનાવીને અશ્વત્થામાની શોધમાં નીકળી પડે છે!
૨૪૩. બે બહ્માસ્ત્રોની વચ્ચે!
કૃષ્ણનું વર્તન આ પ્રસંગે સાધારણ માણસને વિચિત્ર લાગે એવું છે. ધૃષ્ટદ્યુમ્નને સારથિએ સમાચાર આપ્યા ત્યારે એ પાંડવોની સાથે જ હતા. હકીકતમાં પાંડવોને રાતે શિબિરની બહાર લઈ જનાર તે જ હતા. શેકાવેગથી બેભાન થઈને યુધિષ્ઠિર પડી જાય છે, અને બીજા ભાઈઓ અને સાત્યકિ એને આશ્વાસન આપવા ધસે છે, ત્યારે એ કશું જ બેલતા નથી, અને તેમનું એ મૌન તે પછી પણ ચાલુ જ રહે છે. તે એટલે સુધી કે આપણને થાય કે એ બધા વખત પાંડવોને છોડીને બીજે ક્યાંક તે નહિ ગયા હોય ! પણ દ્રૌપદીની સૂચનાથી ભીમ અશ્વત્થામાને શોધવા અને મારવા દોડે છે ત્યારે એ એકાએક પોતાનું મન છોડે છે. યુધિષ્ઠિર ઉપર રાત્રિના અંધકારમાં વિનાશનું જે વજ ઓચિંતું તૂટી પડયું છે તેમાં કેવળ શાબ્દિક આશ્વાસન નિરર્થક છે એવું સૂચવવા માટે જ જાણે તેમણે અત્યાર સુધી મૌન ન સેવ્યું હોય!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com