________________
.
૨૦
હવે અર્જુન પ્રકૃતિથી જ વિશ્વપ્રેમી છે. ઋષિના આદેશ સાંભળતાંવેત તે પેાતાનું દિવ્યાસ્ત્ર પાછું ખેંચી લે છે ( હજારા વર્ષો પહેલાં થયેલ અણુબોમ્બની કલ્પના આપણા જમાનામાં મૂર્તરૂપ પામી છે, પણુ અણુબોમ્બને પ્રયાગ કર્યા પછી તેની સહારક શક્તિને સર્કલી લઈ શકાય એવી જે કલ્પના આમાં રહેલ છે તે હજુ સુધી કલ્પના જ રહી છે.) અને ઋષિઓને વીનવે છેઃ “ મેં તા આપના આદેશ અનુસાર મારું અસ્ત્ર પાછું ખેંચી લીધું. પણ અશ્વત્થામાએ છેાડેલ બ્રહ્મશિરસૂ પૃથ્વીના અને આપણા સૌના ગ્રાસ કરવા આગળ વધી રહ્યું છે, તેનું શું? ’
પણ અશ્વત્થામામાં પ્રોજેલ દિવ્યાસ્ત્રને પાછું ખેંચવાની શક્તિ જ ન હતી. પેાતાની સામે ઠપકાભરી નજરે જોઈ રહેલ મુનિને તે કહે છેઃ “ રાષાવિષ્ટ ચિત્તે અને પાંડવાના નાશ અર્થે આ પાપ હું કરી બેઠે; પણ હવે એને પાછુ ખેંચવાની મારી શક્તિ નથી.”
આ સાંભળીને વ્યાસ તેને જે વચના સંભળાવે છે તે મૂળ મહાભારતના શબ્દોમાં સાંભળવા જેવા છે:
66
પાથૅ બ્રહ્મશિરસના પ્રયાગ કર્યા, પણ તે રાષથી નહિ, અને તારા નાશ માટે પણ નહિ. એણે તા તારા બ્રહ્મશિરને શમાવવા માટે જ પેાતાનું બ્રહ્મશિરસૂ પ્રયેાજ્યું, એવા સંયમસૌંપન્ન, સૌજન્યમંડિત અને સર્વસ્ત્રવિદ , વીરના સપરિવાર વધ કરવાની ઇચ્છા તું અત્યારે રાખે છે? એટલું યાદ રાખ કે પા તારા શસ્ત્રના જવાબ શસ્ત્રથી આપી શકે એમ છે; પણ વિશ્વહિતને લક્ષમાં રાખીને તે એમ નથી કરતા. માટે તું રેાષ મૂકી દે, અસ્ત્ર પાછું ખેંચી લે, અને તારા માથાને ર્માણ પાંડવાને સોંપી દે. એટલાથી જ સંતુષ્ટ થઈને તે તને જીવતદાન આપીને ચાલ્યા જશે.”
પણ ક્રોધ, દંભ, ઈર્ષ્યા, દ્વેષ અને હિંસા એટલા જ કેવળ દુર્ગુણી નથી, અશ્વત્થામામાં; લાભ અને ભય પણ ભારાભાર છે. મણિ આપવાની તે આનાકાની કરે છે. કારણ કે પાંડવા અને ધાર્તરાષ્ટ્રાએ પેાતાના જીવનકાળ દરમ્યાન જે સંપત્તિ સ`ચી હતી, તે બધાં કરતાં મણિ વધારે કીમતી છે, એવી તેની માન્યતા છે. મણિમાં એક ખીજો ગુણ પણ એ જુએ છે. એને ધારણ કરનાર. વ્યાધિ અને વિધ્નાથી સુરક્ષિત રહે છે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com