Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 14
________________ લલિતવિકતા ભાગ-૧] સંકલના – – સંલTI ( ) જગતમાં સર્વોત્તમ પુરુષ તીર્થકરો છે; કેમ કે જગતના જીવમાત્રને સન્માર્ગ બતાવનારા છે, તેથી જગતગુરુ છે, તે જગતગુરુની પ્રતિમા તે ચૈત્ય છે અને તેમને વંદન કરવાથી વંદન કરનારને શુભ ભાવો થાય છે. તે શુભ ભાવો પ્રકર્ષને પામીને તે જીવને જગતુગુરુ તુલ્ય બનાવે છે, તેથી જગતગુરુની પ્રતિમાને વંદન કરવા માટે ગણધરોએ ચૈત્યવંદનનાં સૂત્રોની રચના કરી છે અને તેના પારમાર્થિક ભાવોને સ્પષ્ટ કરવા માટે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજે લલિતવિસ્તરા નામની વૃત્તિ રચેલ છે, જેનાથી યોગ્ય જીવોને ચૈત્યવંદન કરવાથી કઈ રીતે વીતરાગતુલ્ય થવાને અનુકૂળ ઉત્તમ ભાવો થાય છે તેનો માર્ગાનુસારી બોધ કરાવ્યો છે. તેમાં પ્રથમ ચૈત્યવંદન કરવાના અધિકારી જીવો કેવી યોગ્યતાવાળા હોય છે, અનધિકારી જીવો ચૈત્યવંદન કરીને પણ તે પ્રકારના કોઈ સુંદર ફળને પામતા નથી તે બતાવેલ છે, તેથી ચૈત્યવંદનના અધિકારી થવા માટે જે મહાત્મા તેને અનુરૂપ ઉચિત ગુણોમાં યત્ન કરે છે તે ક્રમસર ચૈત્યવંદન કરવાના અધિકારને પામે છે. તે અધિકારને પ્રાપ્ત કર્યા પછી દઢ પ્રણિધાનપૂર્વક ચૈત્યવંદન કરે તો તે મહાત્માને અવશ્ય સર્વ પ્રકારની કલ્યાણની પરંપરા પ્રાપ્ત થાય છે; કેમ કે આ ચૈત્યવંદન અચિંત્ય ચિંતામણિ કહ્યું છે, છતાં અનધિકારી જીવો તેને વિધિપૂર્વક સેવવા સમર્થ નથી અને યથાતથા ચૈત્યવંદન કરીને તેના લાઘવનું આપાદન કરે છે અને લોકોને પણ આ ચૈત્યવંદનની ક્રિયા અસાર છે તેવો બોધ કરાવે છે. તેવા અયોગ્ય જીવોને ચૈત્યવંદન આપવાનો પણ નિષેધ છે, તેથી મહાત્મા યોગ્ય જીવોને વિધિપૂર્વક ચૈત્યવંદન આપે, તેનાથી આપનારને પણ મહાનિર્જરા થાય છે, કેમ કે તે મહાત્મા ભગવાનની આજ્ઞાનુસાર અધિકારીને ચૈત્યવંદન આપીને તે જીવોનું હિત કરે છે અને ભગવાનની આજ્ઞાનું સમ્યગુ આરાધન કરે છે, તેથી સ્વપરને ઇષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. વળી, અનધિકારી જીવોને ચૈત્યવંદન નહિ આપવાથી તેઓનું હિત થાય છે; કેમ કે અનધિકારી જીવો યથાતથા ચૈત્યવંદન કરીને તેના પ્રત્યે અનાદર પરિણામવાળા હોવાથી ક્લિષ્ટ કર્મોને બાંધે છે અને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે વિવેકી પુરુષે યોગ્ય જીવોને ભગવાનના શાસનનું ગાંભીર્ય બતાવીને ચૈત્યવંદનની અધિકારિતાના ગુણો પ્રથમ તેનામાં સ્થિર થાય તે પ્રકારે કહેવું જોઈએ, ત્યારપછી યોગ્યતાની પ્રાપ્તિ થાય ત્યારે વિધિપૂર્વક ચૈત્યવંદન સૂત્ર ગ્રહણ કરાવે. વળી અભ્યાસદશામાં શુદ્ધ ચૈત્યવંદન કરવાના અર્થી થઈને કંઈક શુદ્ધિને અભિમુખ ત્રુટિવાળું ચૈત્યવંદન કરે તોપણ તેઓનું હિત થાય છે. વળી, ચૈત્યવંદનમાં પ્રથમ નમુત્યુર્ણ સૂત્ર બોલાય છે, તેમાં જગતુગુરુ કેવા ઉત્તમ ગુણોવાળા છે તે પ્રથમ બતાવેલ છે. ત્યારપછી અન્ય જીવો કરતાં તીર્થંકર થાય તેવી અનાદિ વિશેષ યોગ્યતાવાળા છે, માટે ભગવાનને પુરુષોત્તમ કહ્યા. વળી સમ્યક્ત પામ્યા પછી તે મહાત્માઓ કઈ રીતે યોગમાર્ગને સાધે છે અને ચરમભવમાં સંયમ ગ્રહણ કરે છે ત્યારે સિંહની જેમ ઘાતી કર્મને જીતવા મહા પરાક્રમ કરે છે, સંસારમાં જન્મ્યા હોવા છતાં પુંડરીકની જેમ વિષયોથી કઈ રીતે નિર્લેપ રહે છે તે બતાવ્યું. કેવલજ્ઞાન પામ્યા પછી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 306