________________
૧૯૦૭]
| શ્રદ્ધા
[ રર૩
Why do we see that pigmy Japin drove away mighty Rusaia ? Simply because Japanese are better educated than illiterate Russians. We do not want quantity, we want quality.
V. U. Parekh.
M. A. B. Sc. Professor of Science,
શ્રદ્ધા. (લેખક વિરભકત મેહનલાલ દલીચંદ દેશાઈ. બી. એ.) One in whom persuasion and belief har ripened into faith and faith had become a pressionate intuition.
Wordsworth, (The Excursion). ધાર્મિક વિચાર કરનાર જનસમૂહના બે વર્ગ પાડી શકાય. એક વર્ગ પૂર્વ ધર્મ સિદ્ધાંતને નિશ્ચિત અને નિવિવાદિત માને છે અને બીજે વર્ગ માનવમાત્રે કદી નિણિત સિદ્ધાંત પ્રતિપાદિત કર્યા નથી અને તેમ કરી શકનાર નથી એટલે તેમને મન સર્વ. શંકાસ્પદ છે એવી જ દષ્ટિ રાખે છે.
જે જે મનુષ્ય અર્વાચીન કેલવણી પામી વિચાર કરતા શિખ્યા છે તેઓની પૂર્વ ધર્મ સિદ્ધાંતપરની શ્રદ્ધા વિશીર્ણ થઈ છે અને જે તેમ ન હોય તે શંકાન્વિત તે બની છે. તેઓ સૌ સ્વભાવથી, કદાચ દુઃખવૃત્તિથી અથવા તે સ્વતંત્રતાની આનંદલહરી ભેગવતાં જે સિદ્ધાંતે નિવિવાદિત રીતે પ્રતિપાદિત થયેલા છે તેને ધીમે ધીમે ત્યાગ કરતા જાય છેઆના પરિણામમાં તેમનામાં વિવશતા પ્રાપ્ત થાય છે. અને વિવશતાથી જે ધર્મ સિદ્ધાંતે એક વખત સમજવા હેલ હતા તે સમજવાને તેઓ અત્યારે પિતાની પૂર્ણ અશકિત જણાવે છે અને તે પછી આવા પાસેથી સમજવાની તે આશા કયાંથી રાખવી ?
તેઓની કલ્પનામય સૃષ્ટિમાં અનેક તર્કો ઉઠે છે, “ઈશ્વર છે કે નહિ? ઇશ્વર હોય તે તેને સ્વભાવ શું છે? મરણ પછી આત્માનું અસ્તિત્વ છે? અને હોય તે કેવી સ્થિતિમાં તેનું પરિણમન થાય છે? વિશ્વને સુષ્ટ છે કે નહિ? અને હોય તે તેને હેતુ શું છે?” આવા મિથ્યા શ્રદ્ધહીન તર્કો કરી મનનું સમાધાન કદી પણ કરી શકતા નથી કારણકે પ્રારંભથી તેમની માન્યતા એવી હોય છે કે કેઈપણે માનવ તેમના પ્રશ્નોનું નિરાકરણ સત્ય રીતે કરી શકવા સમર્થ નથી. પછી ગમે તે તે મને હાન આચાર્ય કે મહાપંડિત હોય, ત્યાગી વિદ્વાન સાધુ કે બુદ્ધિમાનું શ્રાવક હોય, શાસ્ત્ર પારંગત પુરૂષ કે સ્મશકિત ધરાવનાર મહાત્મા હોય. છતાં કદાચ કઈ ધર્મ,