________________
પર
આ પત્રના ગ્રાહકોને નમ્ર વિનંતિ.
સુજ્ઞગ્રાહક બંધુઓ ! તમને સારી રીતે વિદિત હશે કે દરેક માસિકનો મુખ્ય આધાર લવાજમ ઉપરજ છે. આ પત્રને બે વર્ષ પુરાં થઇ હાલમાં ત્રીજું વર્ષ ચાલે છે. અને તેથી ગત બે વર્ષનું તથા ચાલુ વર્ષનું લવાજમ કેટલાએક ગૃહસ્થો તરફથી આવ્યું નથી. તેને ત્રણ વર્ષનું લવાજમ સત્વર મોકલી આપવા અગર અમારા તરફથી વી. પી. થી હેરડને અંક મોકલાવવામાં આવે તેને સ્વિકાર કરવા વિનંતી છે. દિલગિરી સાથે જણાવવું પડે છે કે એવા પણ સાહેબ બહાદુરો નીકળી આવે છે કે જેમાં ત્રણ વરસના લવાજમ માટે વી. પી. કરવામાં આવેલા અને પાછા મોકલતાં જરાપણુ આંચકે ખાતા નથી; તેઓને જણાવવાનું કે હજુપણ લહેણું પડતું લવાજમ મોકલી આપી આ ખાતાના દેવામાંથી મુકત થવાનું દુરસ્ત વિચારશે નહિતો પછી અમારી મરજી વિરૂદ્ધ અણછુટકે તેઓનાં નામ બહાર પાડવાની અને ફરજ પડશે. અને તેમના ઉપર અંકે મેકલવા બંધ કર્યો છે તોપણું આગળનું લવાજમ મેકલી આપવા અરજ કરીએ છીએ.
આ કામ શુભ ખાતાનું છે. અને કોન્ફરન્સ ફેડની આ માસીક પાસે મોટી રકમ લેણી ખેચાય છે તેથી જે કઈ ગ્રાહકે લવાજમ મોકલવામાં કસુર કરશે તો તેઓ શુભ ખાતાના દેવાદાર રહેશે. વળી કેટલાક ગૃહસ્થો થેડા અંક રાખી બીજા અકે નહિ મેકલવા લખે છે તે તેવા ગૃહસ્થને નમ્ર વિનંતી છે કે કેન્ફરન્સ ફંડના દેવાદાર રહેવાને બદલે જેટલા અંક રાખ્યા હોય તે દરેકના બે આના લેખે મોકલી દેવા કૃપા કરવી.
CO-~
જાહેર ખબર. સર્વ જૈન ભાઈઓને ખબર આપવામાં આવે છે કે અમદાવાદ કોન્ફરન્સમાં થયેલ ઠરાવ નંબર ૧૪ અનુસાર આપણા પરમ પુજ્ય શ્રી તીર્થકર ભગવાનની છબીઓ વેચ. વામાં આવે છે તે બંધ કરવાને માટે યોગ્ય પગલાં ભરવાની ખાસ જરૂર છે તેથી જણાવવાનું કે આવી છબીઓ જે કઈ વેચતા હોય તેની બનેતે નકલ અને ખાસ કરીને વેચનાર તથા છાપનારનાં નામ તથા ઠેકાણું સાથેની ઉપયોગી હકીકત અમારા ઉપર મોકલી આપવામાં આવશે તો ઘટતો બંદોબસ્ત થઈ શકશે. ગીરગામ મુંબઈ)
આસીસ્ટન્ટ સેક્રેટરી, તા. ૧૬-પ--૦૭. )
- શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સ.