Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વા.
અનેક નવાં-નવાં વિધિ-વિધાનોના વિસ્તારની સાથે સમાવેશ કરવામાં આવ્યો. પ્રત્યેક ધાર્મિક કૃત્યની સાથે અર્થપ્રધાન બાહ્ય કર્મકાંડનો પુટ લગાવવામાં આવ્યા. ચૈત્યવાસી પરંપરાના પ્રાદુર્ભાવના સમયથી લઈ એના ઉત્કર્ષકાળ સુધી ચૈત્યવાસીઓ વડે સર્વજ્ઞ પ્રણીત જૈન ધર્મના સ્વરૂપમાં સમય-સમય પર આ પ્રકારના ઉત્તરોત્તર અધિકાધિક યથેચ્છ પરિવર્તન-પરિવર્ધન કરવામાં આવતાં રહ્યાં. તે પોતાના શ્રીમંત ઉપાસકોના અર્થબળ તથા અન્ય સાધનોના માધ્યમથી ચૈત્યવાસીઓએ રાજ્યાશ્રય પ્રાપ્ત કરી. ભારતના અનેક ભૂ-ભાગો પર પોતાની પરંપરાનું વર્ચસ્વ સ્થાપિત કરવા તથા મૂળ શ્રમણ પરંપરાનું અસ્તિત્વ ખતમ કરવાના ઉદ્દેશ્યથી સમય-સમય પર અનેક પ્રકારના ઉપાય કર્યા. એ ઉપાયોમાંથી સૌથી વધારે પ્રભાવશાળી ભયંકર ઉપાય એમણે એ કર્યો કે યેન-કેન પ્રકારે રાજગુરુનું પદ પ્રાપ્ત કરી રાજાઓ પાસેથી એ પ્રકારની રાજાશાઓ પ્રસારિત કરાવી દીધી કે - “એમના રાજ્યની સીમામાં ચૈત્યવાસી સાધુ-સાધ્વીઓના અતિરિક્ત અન્ય કોઈ પણ પરંપરાના સાધુ-સાધ્વી પ્રવેશ સુદ્ધાં પણ ન કરી શકે.” રાજાઓ પાસેથી આ પ્રકારની નિષેધાજ્ઞાઓ પ્રસારિત કરાવવામાં આવવાનું એક પુષ્ટ ઐતિહાસિક પ્રમાણ આજે પણ ઉપલબ્ધ છે. વિ.સં. ૮૦૨(વી. નિ. સં. ૧૨૭૨)માં અણહિલપુર-પાટણ (પટ્ટન)ના રાજા વનરાજ ચાવડાના ગુરુ ચૈત્યવાસી આચાર્ય શીલગુણસૂરિએ રાજા પાસે રાજાજ્ઞા પ્રસારિત કરાવીને ચૈત્યવાસી સાધુસાધ્વીઓને બાદ કરી શેષ બધાં અન્ય પરંપરાઓનાં સાધુ-સાધ્વીઓનો પાટણ રાજ્યની સીમામાં પ્રવેશ બંધ કરાવી નાખ્યો. એ રાજાજ્ઞાનો લગભગ ૨૭૫ વર્ષ સુધી સંપૂર્ણ રાજ્યમાં પૂરી કડકાઈથી અમલ કરવામાં આવ્યો. જે રાજ્યોમાં ચૈત્યવાસી પરંપરાના બે-ત્રણ શતાબ્દીઓ સુધી પૂર્ણ એકાધિપત્ય રહ્યા, એ રાજ્યોમાં વિશુદ્ધ મૂળ શ્રમણ પરંપરા વિલુપ્ત જેવી થઈ ગઈ.
આ પ્રકારે રાજ્યાશ્રય પ્રાપ્ત કરી ચૈત્યવાસી પરંપરા ભારતના વિભિન્ન ભાગોમાં પ્રસૂત થઈ, ફેલાઈ અને ફળી-ફૂલી. વી. નિની અગિયારમી શતાબ્દીના પ્રારંભથી સોળમી શતાબ્દીના પૂર્વાર્ધ સુધી તો ચૈત્યવાસી પરંપરાનું ભારતના અધિકાંશ ભાગોમાં પૂર્ણ વર્ચસ્વ [ ૩૪ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)