Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(૫) સાહસતુંગ)નો અધિકાર રહ્યો. તે ખૂબ પ્રતાપી રાજા હતો. બધા જ ઇતિહાસકારો તેને રાષ્ટ્રકૂટ-રાજવંશને એક શકિતશાળી રાજ્યનું સ્વરૂપ આપવાવાળો માને છે. તેણે ઈ.સ. ૭૪૨માં ઇલોરા, પર કબજો કર્યો. દંતિદુર્ગ માલવ, ગુર્જર, કૌશલ, કલિંગ અને શ્રીશૈલમ પ્રદેશના તેલુગુ-ચોલ રાજાઓને એક-એક કરીને યુદ્ધમાં હરાવીને પોતાના આજ્ઞાવર્તી બનાવ્યા. ત્યાર પછી તે કાંચીની તરફ આગળ વધ્યો અને કાંચીપતિ નંદીવર્મન પલ્લવમલની સાથે પોતાની પુત્રી રેખાનું લગ્ન કર્યું.
તેણે ચાલુક્યરાજ કીર્તિવર્મન પર પોતાના મૃત્યુથી લગભગ એક વર્ષ પહેલાં આક્રમણ કરીને તેને અંતિમરૂપે પરાજિત કર્યો. તેના પછી દંતિદુર્ગે પોતાને દક્ષિણ ક્ષેત્રનો સાર્વભૌમસત્તા-સંપન્ન રાજા ઘોષિત કર્યો.
દંતિદુર્ગ જિનશાસનના અભ્યદય તેમજ પ્રચાર-પ્રસારનાં કાર્યોમાં ખૂબ જ રસ લેતો હતો. તે પરમ જિનભક્ત હતો. પુત્રી રેખા સિવાય તેને કોઈ સંતાન ન હતું. તે જ કારણે તેના મૃત્યુ બાદ તેના કાકા કૃષ્ણ (પ્રથમ) માન્યખેટના રાજસિંહાસન પર બેઠા.
(રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ (પ્રથમ)) વી. નિ. સં. ૧૨૮૦ થી ૧૩૦૫ સુધી રાષ્ટ્રકૂટવંશના રાજા કૃષ્ણ(પ્રથમ)નું વિશાળ રાષ્ટ્રકૂટ રાજ્ય પર શાસન રહ્યું. તે રાજા દંતિદુર્ગના કાકા હતા.
કૃષ્ણ કોંકણ પર કબજો કરી ત્યાં શિલાહારવંશીય રાજકુમારને સામંતના રૂપમાં નિયુક્ત કર્યો. તેણે ગંગ રાજ્ય પર આક્રમણ કરીને ગંગરાજ શ્રીપુરુષને રણમેદાનમાં હરાવીને તેને પોતાના તાબા હેઠળનો રાજા બનાવ્યો. કૃષ્ણ પોતાના પુત્ર ગોવિંદને એક મોટી સેના સાથે વેંગીને ચાલુક્ય રાજાને પોતાને તાબે કરવા માટે મોકલ્યો. વેંગીના રાજા વિજયાદિત્ય(પ્રથમ)એ રાજકુમાર ગોવિંદની સમક્ષ હાજર થઈને કોઈ પણ સંઘર્ષ વિના જ રાષ્ટ્રકૂટ રાજ્યની આધીનતા
સ્વીકારી લીધી. કૃષ્ણના ગોવિંદ અને ધ્રુવ નામના બે પુત્ર હતા. રાજા કૃષ્ણ એલપુર (ઇલોરા)માં એક અતિ ભવ્ય શિવમંદિરનું નિર્માણ કરાવ્યું. ઈ.સ. ૭૭રમાં કૃષ્ણનો દેહાંત થઈ ગયો. [૧૦૬ [9636236263696969696969ી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)