Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 247
________________ આવો સવાલ સાંભળતાં જ ધનપાલ આવેશપૂર્ણ સ્વરમાં બોલ્યો : “આ દહીં ત્રણ દિવસનું છે. બોલો, શું આમાં પણ જીવ ઉત્પન્ન થઈ ગયા છે ? એવું લાગે છે કે તમે લોકો નવા-નવા જ દયાવ્રતધારી બન્યા છો. લેવું હોય તો લો, નહિ તો જલદી જ અહીંથી બીજે ક્યાંક જાઓ.” એક સાધુએ ખૂબ જ શાંત અને મૃદુ સ્વરમાં કહ્યું : “વિન્દ્વન્ ! જૈનશ્રમણોને માટે મધુકરી સંબંધમાં જે આચાર-સંહિતા બનેલી છે. તેની અનુપાલનામાં આ પ્રકારની જાણકારી કરી લેવી, અમારું અનિવાર્ય કર્તવ્ય છે. બે દિવસ પછી દહીં વગેરે ગોરસ(દૂધની વસ્તુ)માં જીવોની ઉત્પત્તિ થઈ જાય છે.' આ જ્ઞાનીઓનું કથન છે.” મહાકવિ ધનપાલે આશ્ચર્યપૂર્ણ મુદ્રામાં કહ્યું : “આ નવી વાત તો મેં મારા જીવનમાં પહેલી વાર આપના મોઢેથી સાંભળી છે. તો આપ આ દહીંમાં તે જીવોને બતાવો. જેથી અમને પણ આપની વાતની ખરાઈ (સત્યતા) પર વિશ્વાસ થઈ જાય.'' તે બંને સાધુઓએ કહ્યું : “મહાકવે ! આ દહીંમાં થોડોક અલતાનો રંગ નાખી દો.” ધનપાલે જેવો દહીંમાં થોડોક રંગ નાખ્યો, તરત જ દહીંના રંગના જ અનેક જીવ, જે હમણાં સુધી અદૃષ્ટ હતા, દૃષ્ટિગોચર થઈ દહીંના પાત્રમાં અહીં-તહીં ચાલવા લાગ્યા. દહીંપાત્રમાં આ પ્રમાણે અગણિત જીવોને આમ - તેમ ચાલતા અને ખદબદતા જોઈને, જૈન ધર્મના વિષયમાં કવિ ધનપાલના અંતરમનમાં જે ભ્રમણાઓ હતી, તે તત્કાળ નષ્ટ થઈ ગઈ. તેના મન-મસ્તિષ્ક પર છવાયેલું મિથ્યાત્વનું ધુમ્મસ તરત જ દૂર થઈ ગયું. મહાકવિ ધનપાલે વિનયપૂર્વક હાથ જોડી, આદરપૂર્વક શીશ ઝુકાવતા વિનમ્ર સ્વરે બંને સાધુઓને તેમના વિષયમાં પૃચ્છા (પૂછતાછ) કરી. આથી એક સાધુએ જણાવ્યું : “મહાકવિ ! અમે અહીંયાં ગુર્જરભૂમિથી આવ્યા છીએ. મહેન્દ્રસૂરિના શિષ્ય શોભનાચાર્ય અમારા ગુરુ છે. આ નગરીમાં આદિનાથ ભગવાનના મંદિર પાસેના એક ઉપાશ્રયમાં અમે બધા રોકાયા છીએ.” ત્યાર બાદ બંને સાધુ જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ફરી ગયા. ૨૩૮ ૩૦ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290