Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 279
________________ સંપ્રદાય વિશેષ માટે આક્ષેપરૂપી કે કોઈના હૃદયને દુભાવવાવાળા શબ્દો અથવા ભાષાનો પ્રયોગ ક્યાંય પણ કરવામાં ન આવે. છતાં પણ સત્યના ઉદ્ઘાટન અને પ્રતિપાદન કરતી વખતે ક્યાંક કોઈ અપ્રિય અથવા કડવી વાત લખવામાં આવી ગઈ હોય અને તેનાથી કોઈનું મન દુભાયું હોય તો અમે અમારા અંતઃકરણથી તેના માટે દુઃખ પ્રગટ કરીને જિનેશ્વર દેવની સાક્ષીથી ક્ષમાયાચના કરીએ છીએ. આશા છે કે તત્ત્વજિજ્ઞાસુ અને ઇતિહાસરસિક પાઠકવૃંદ ગુણગ્રાહી, થઈને શબ્દોના કલેવરને (ઢાંચાને) ન પકડતા, ભાવોની તરફ પોતાનું ધ્યાન રાખશે અને આલોચના કરતી વખતે સત્યાન્વેષી તટસ્થ દૃષ્ટિથી તે બધી વિષયવસ્તુને જોશે, શિષ્ટાચાર અને ભદ્ર - વ્યવહારને ભૂલશે નહિ. હા, શોધપૂર્ણ ઇતિહાસલેખનના આ શ્રમસાધ્ય કામમાં અલના સંભવ છે. આવી સ્થિતિમાં જો ક્યાંક કોઈ ત્રુટિ (ભૂલ) હોય તો તેનાથી અવગત કરાવવાની પાઠકંગણ તસ્દી લે, જેથી આગળ તેના પર વિચાર કરી શકાય. ક ( ૨૦૦ 369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290