Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વિચારમગ્ન ધનપાલ તત્કાળ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરી વગર ભોજન કર્યો શોભનમુનિનાં દર્શનાર્થ ઉપાશ્રયની તરફ રવાના થયો. જેવો જ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો, શોભનાચાર્ય પોતાના મોટા ભાઈ પ્રત્યે આદર પ્રગટ કરતાં, તેમની સામે ગયા. ધનપાલે ઝડપથી આગળ વધીને પોતાના નાના ભાઈને બાહુપાશમાં લઈને પોતાની છાતીસરસા ચાંપ્યા.
શોભનાચાર્યે પોતાના મોટા ભાઈના સન્માનની દૃષ્ટિથી, પોતાના પાસે જ અડધા આસન પર બેસવા માટે વિનંતી કરી, પરંતુ ધનપાલ તેમની સામે ધરતી પર જ બેસી ગયો અને બોલ્યો : “બંધુ ! આપે સંસારના મહાન દર્શન, જૈનદર્શનની શરણ લઈને શ્રમણધર્મ અંગીકાર કરેલો છે. આપ મારા જ નહિ, બધાના પૂજ્ય છો. મેં અજ્ઞાન અને ઈર્ષાને વશ થઈ રાજા ભોજને વિનંતી કરીને આ મહાન ધર્મના ગુરુઓના માલવ રાજ્યમાં વિચરણ પર પ્રતિબંધ લગાવડાવીને ઘોર પાપનું ઉપાર્જન કર્યું છે, એ વાતનું મને ખૂબ જ દુઃખ છે. હવે હું મારા પાપની પૂરેપૂરી શુદ્ધિ કરવાની ઇચ્છા ધરાવું છું.”
ત્યાર બાદ પોતાના નાના ભાઈ શોભનાચાર્યના મુખેથી સારગર્ભિત ઉપદેશોનું શ્રવણ કરીને મહાકવિ ધનપાલના અંતરમનમાં બોધિબીજ અંકુરિત થઈ ગયા. દઢ સંકલ્પથી ઓત-પ્રોત, સુદઢ સ્વરમાં ધનપાલે હાથ જોડીને શોભનાચાર્યને કહ્યું : “જ્ઞાનસિંધુ ! હું સદ્ગતિદાયક જૈન ધર્મને અંતરમનથી અંગીકાર કરું છું.”
સૌ પ્રથમ ધનપાલે પોતાના તે ઘોર પાપની વિશુદ્ધિનો દઢ સંકલ્પ કર્યો, જે તેણે રાજા ભોજના માધ્યમથી માલવ રાજ્યમાં જૈનશ્રમણોના વિચરણ પર પ્રતિબંધ લગાવવાના રૂપે કર્યો હતો. ધનપાલે રાજા ભોજને વિનંતી કરી પ્રતિબંધ નાબૂદ કરાવડાવી દીધો. પ્રતિબંધ હટાવી લેવાયા બાદ ધારાનગરીના જૈપસંઘે મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને, તેમને ધારાનગરી પધારવાની અને પોતાના ઉપદેશામૃતથી ત્યાં જૈન ધર્મની શ્રીવૃદ્ધિ કરવાની પ્રાર્થના કરી. સંઘની વિનંતીને સ્વીકારીને મહેન્દ્રસૂરિ ધારાનગરી પધાર્યા. આચાર્ય મહેન્દ્રસૂરિના ઉપદેશોથી ધનપાલની આસ્થા દઢથી દઢત્તર અને દઢત્તરથી દેઢત્તમ જિન ધર્મનો મોલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) DEC 2333333333: ૨૩૯ ]