Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દ્વારા
વગેરે જ
પોતાની પાસે રાખી લીધો અને તેની માતાને સાંત્વના આપીને આશ્વસ્ત કરી.
દ્રોણાચાર્યે બાળક મહિપાલને શબ્દશાસ્ત્ર પ્રમાણ, નય, સાહિત્ય, આગમ, સંહિતા વગેરે વિવિધ વિદ્યાઓનો ક્રમબદ્ધ પાઠ શરૂ કરાવ્યો. તે બધી વિદ્યાઓ મહિપાલના કંઠમાં આવીને વિરાજમાન થવા લાગી.
દ્રોણાચાર્ય પ્રત્યે મહિપાલના મનમાં અગાઢ પ્રેમ અને આસ્થા ઉત્પન્ન થઈ ગઈ. તે ક્ષણભર માટે પણ ગુરુચરણોથી દૂર રહેવામાં પીડાનો અનુભવ કરતો હતો. આથી તેણે દ્રોણાચાર્ય પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. તમામ વિદ્યાઓ અને શાસ્ત્રોનું તલસ્પર્શી પાંડિત્ય પ્રાપ્ત કર્યા બાદ આચાર્ય દ્રોણે તેને આચાર્યપદ માટે બધી રીતે સુયોગ્ય જાણીને આચાર્યપદ આપ્યું. આ પ્રમાણે મુનિ મહિપાલ આચાર્યપદ પર બેઠા પછી સૂરાચાર્યના નામથી લોક-વિકૃત (લોકમાં જાણીતા) થયા.
એક દિવસ રાજા ભોજના પ્રધાનપુરુષ રાજા ભીમની રાજસભામાં ઉપસ્થિત થયા અને તેમણે સભામાં એક ગાથાનું ઉચ્ચારણ કર્યું. જેનો અર્થ હતો - “જેણે ઘનઘોર ગર્જના સાથે છલાંગ મારીને ફક્ત એક જ પંજાના પ્રહારથી મદોન્મત્ત ગજરાજના લમણાને (ગંડસ્થળને) ચીરીને પોતાનો અપ્રતિમ પ્રભાવ ચારેબાજુ પ્રકાશિત કરી દીધો છે, તે સિંહને કોઈ એક હરણ સાથે ન તો વિગ્રહ થઈ શકે, ન જ સંધિ.'
રાજા ભીમે અત્યંત તિરસ્કાર ભાવથી ભરેલી ગાથાને સાંભળીને પૂરા સંયમ સાથે કામ લીધું. લલાટ ઉપર લેશમાત્ર પણ સળ અથવા આંખોમાં લાલાશ ન આવવા દીધાં. રાજા ભોજના પ્રધાનોનો રાજા ભીમે યથાયોગ્ય સ્વાગત-સત્કાર કર્યો અને તેમના ખાન-પાન-આવાસ આદિની યોગ્ય વ્યવસ્થા કરવાનો આદેશ આપી તે લોકોને વિશ્રામ કરવાની સલાહ આપી.
રાજા ભોજના અમાત્યોના ગયા પછી ભીમે પોતાના પ્રધાનમંત્રી વગેરે અમાત્યોને આદેશ આપ્યો કે - “આ ગાથાનો બધી રીતે ઉચિત જવાબ આપવામાં સક્ષમ હોય તેવા અદ્દભુત પ્રતિભાસંપન્ન વિદ્વાનની શોધ કરવામાં આવે.'
રાજા ભીમની સભામાં બેઠેલા અનેક કવિઓએ પોતાની બુદ્ધિ અનુસાર તે ગાથાનો બધી રીતે યોગ્ય જવાબ આપવાની ઇચ્છાથી અનેક | ૨૪૬ દ86969696969696969696965 જેન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩)