Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 210
________________ રાખીને તેનાથી નીચેના કોઈ સમતલ સ્થળે જ સ્થાપિત કરી શકશે. બંને પક્ષોમાંથી જે પક્ષ પોતાના આરાધ્યના મંદિરને સૂર્યોદયથી પછી પણ ખેરથલથી નારલાઈમાં નહિ લાવી શકે, તે પક્ષ પૂર્ણ પરાજિત જાહેર કરી દેવામાં આવશે.' બંને પક્ષોએ આ શરતને સહર્ષ સ્વીકારીને પોત-પોતાની મંત્રશક્તિનો પ્રયોગ શરૂ કરી દીધો. જાણીતી લોકવાયકા મુજબ બંને પક્ષોએ પોત-પોતાના મંત્રશક્તિના ચમત્કારથી આ અસંભવ લાગતા કામને સંભવ કરી બતાવ્યું. ગોસાંઈ બૈરથલમાં આવેલ શિવમંદિરને વતિઓ કરતાં કેટલીક ક્ષણ પહેલાં નારલાઈના આકાશમાં લાવ્યા, જેથી શિવમંદિર નારલાઈના પર્વત પર અને આદિનાથ મંદિર નીચેના ભાગ પર સ્થાપિત કરવામાં આવ્યું. હાલમાં નારલાઈના પર્વત પર ભગવાન શિવનું મંદિર અને નીચેના ભાગે આદિનાથ ભગવાન ઋષભદેવનું મંદિર, આ બંને મંદિર નારલાઈમાં વિદ્યમાન છે. નારલાઈના આદિનાથ મંદિરના શિલાલેખમાં એ રીતનો અભિલેખ અંકિત છે કે, આ મંદિર યશોભદ્રસૂરિ પોતાની મંત્રશક્તિ દ્વારા અહીં લાવ્યા. ખરેખરમાં અફવાઓ માટે અને ખાસ કરીને અસંભવ લાગવાવાળાં કાર્યોના નિષ્પાદનથી સંબંધિત અફવાઓ માટે ઈતિહાસમાં કોઈ સ્થાન નથી. છતાં પણ સદીઓથી ચાલી આવતી અફવા(લોકવાયકા)ના આધારે જનમાનસમાં ઘર કરી ગયેલી ચમત્કારિક ઘટનાઓનો ઇતિહાસ સાથે એ કારણથી ઊંડો સંબંધ છે કે, મંત્ર-તંત્ર અને ચમત્કારોની શક્તિ પ્રદર્શનનો યુગ એક સુદીઘવધિ (લાંબા સમય સુધી) સુધી આ આર્યધરા પર રહ્યો છે. | ( ખિમષિ (ક્ષમાનષિ) ) સાંડરગચ્છ (ચૈત્યવાસી પરંપરા)ના આચાર્ય યશોભદ્રસૂરિના બલિભદ્ર અને શાલિસૂરિ સિવાય પણ અનેક શિષ્ય હતા. તેમનામાંથી ખિમઋષિ નામના મુનિ ઘોર તપસ્વી અને ક્ષમામૂર્તિ હતા. તેમનું જીવન પ્રેરણાસ્પદ હોવાથી અહીં આપવામાં આવી રહ્યું છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969 ૨૦૧

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290