Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજ્યાશ્રયથી વંચિત જૈન ધર્મને રક્ષણ પ્રદાન કરવાવાળો કોઈ વિરલો આગળ આવે અને એક સુદઢ પ્રબળ રાજશકિતના રૂપમાં ઉદિત થઈ જૈન ધર્મને રાજ્યાશ્રય પ્રદાન કરે, એવી પ્રબળ અભિલાષાને અંતરમનથી સંજોવી સુદત્ત નામના એક જૈનાચાર્ય વિકટ વનપ્રદેશમાં અંગડિ નામના સ્થાન પર સાધના કરતા હતા. તે સમયે કિશોરવયનો એક યાદવવંશી રાજકુમાર એ સ્થાન પર આવ્યો. તેણે ભક્તિપૂર્વક આચાર્ય સુદત્તને વંદન કર્યા અને તેમની સામે બેસી ગયો. આચાર્યના પૂછવા પર તેણે પોતાનું નામ “સલ” બતાવ્યું. સુદત્તાચાર્યએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે - “આ ક્ષત્રિય કિશોરમાં પોતાની આશાઓને અનુરૂપ બધાં શુભ લક્ષણો વિદ્યમાન છે, આ પ્રકારે વિચાર કરીને તેઓ ફરીથી પદ્માવતી દેવીની સાધનામાં લીન થઈ ગયા, અને ક્ષત્રિય રાજકિશોર તેઓના મુખારવિંદની તરફ અપલક જોતો તેઓની સમક્ષ બેસી રહ્યો. થોડી જ ક્ષણોમાં ભયંકર સિંહની ગર્જનાની સાથે તે સ્થળ ગુંજી ઊઠ્યું. ધ્યાન સમાપ્તિની સાથે જ જેવી આચાર્યએ આંખો ખોલી, તો જોયું કે એક વિકરાળ કેસરી સિંહ તેઓ બંનેની તરફ ઝડપથી આવી રહ્યો છે. પોતાના સ્થાન પર નિર્ભય અડગ બેઠેલા ક્ષત્રિય કિશોરને સંબોધિત કરીને સુદત્તાચાર્યે તે પ્રદેશની ભાષામાં કહ્યું કે - પોય્સલ” અર્થાત્ સલ, આત્મરક્ષા કરો.”
આચાર્યની આજ્ઞાનું પાલન કરતા, રાજકિશોર સલે, સુદત્તાચાર્યની તરફ છલાંગ મારતા સિંહને એક જ વારમાં મારી નાખ્યો. યદુવીર સલના શૌર્ય અને સાહસને જોઈને આચાર્ય સુદત્તને વિશ્વાસ થઈ ગયો કે - “આ પરાક્રમી પુરુષ નવીન રાજ્યની સ્થાપના કરવામાં અને રાજ્યના સ્વામી થવાની પશ્ચાત્ જૈનસંઘને સમુચિત સંરક્ષણ આપવામાં સર્વથા સક્ષમ છે.” આચાર્ય સુદત્તે તે જ સમયથી તે યાદવ કિશોરને પોલ'ના નામથી સંબોધિત કરવાનો પ્રારંભ કરી દીધો. આ કારણથી યાદવરાજવંશ પોસલ અને કાળાન્તરે હોસલના નામથી વિખ્યાત થયો.
આચાર્ય સુદત્ત અને જૈનસંઘની સહાયતાથી પોસલે ચાલુક્યોના પતનના સમયે તેઓના રાજ્યના દક્ષિણ ભાગ પર અધિકાર કરીને ઈ.સ. ૧૦૦૪ની આસપાસ પોસલ (હોસલ) રાજ્યની સ્થાપના કરી. [ ૮ 26263696969696969696907 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)