Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
૩. શિવચંદ્ર ઃ શિવચંદ્રાચાર્યની સાંધ્યાવેળા પાછળનો સમય) ભિન્ન
માલમાં પસાર થઈ. ભિન્નમાલના નિવાસીઓ માટે તેઓ કલ્પવૃક્ષ
સમાન હતા. , ૪. યક્ષદરગણિ હારિલગચ્છના યશસ્વી અને મહાપ્રભાવક આચાર્ય
પક્ષદત્તના નાગ, છંદ, મમ્મટ, દુર્ગ, અગ્નિશર્મા અને બટેશ્વર
નામક છ શિષ્યા હતા. ૫. બટેશ્વર : એમણે નાગ, વૃંદ વગેરે પાંચ ગુરુભાઈઓની સાથે
દૂર-દૂરનાં ક્ષેત્રોમાં ધર્મની પ્રભાવના કરી તથા અનેક મંદિરોનું નિર્માણ કરાવ્યું. આકાશવપ્ર નામક નગરમાં આચાર્ય બટેશ્વરે
એક અતિ વિશાળ અને મનોહર જિનાલયનું નિર્માણ કરાવ્યું. ૬. તત્ત્વાચાર્ય એમના જીવનવૃત્તાંતનો ક્યાંય ઉલ્લેખ મળતો નથી. ૭. ઉધોતનસૂરિ (દાક્ષિણ્ય ચિહ્ન) : એમણે “કુવલયમાલા' નામના ગ્રંથની રચના કરી, જે ખૂબ જ લોકપ્રિય થયો.
આચાર્ય ઉદ્યોતનસૂરિના શ્રીવત્સ અને બળદેવ નામના બે શિષ્ય હતા. એ બંને મુનિઓએ જયેષ્ઠાર્ય (સંભવતઃ વાચકપદ) પદ પ્રાપ્ત કર્યું અને જિનધર્મ વત્સલના રૂપમાં ખ્યાતિ પ્રાપ્ત કરી.
૧૦૦ 9999999999@જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)