Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઉદ્યોતનસૂરિના ગુરુભાઈ યક્ષ મહત્તરનું એક પ્રમુખ શિષ્ય મહાતપસ્વી કૃષ્ણર્ષિએ પોતાના સમય દરમિયાન કૃષ્ણર્ષિગચ્છની સ્થાપના કરી, જે હારિલગચ્છનો જ ઉપગચ્છ અથવા પ્રશાખા રૂપી ગચ્છ માનવામાં આવે છે. આ થારપદ્રગચ્છની એક પ્રશાખાના રૂપમાં વિ. સં. ૧૨૨૨માં પિપ્પલકગચ્છની ઉત્પત્તિ થઈ.
થારપદ્રગચ્છમાં અનેક પ્રભાવી આચાર્ય થયા છે. વિક્રમની અગિયારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયેલા વાદીવૈતાલ બિરુદથી વિભૂષિત થારપદ્રગચ્છીય આચાર્ય શાંતિસૂરિએ ઉત્તરાધ્યયન સૂત્ર પર ટીકાની રચના કરી.
વિ. સં. ૯૧૫, ભાદ્રપદ, શુક્લ પંચમી, બુધવાર, સ્વાતિ નક્ષત્રમાં જે સમયે નાગૌરમાં ગ્વાલિયરના મહારાજા આમના પૌત્ર મહારાજા ભોજદેવનો રાજ્યકાળ હતો, તે સમયે થારપદ્રગચ્છના આચાર્ય જયસિંહસૂરિ(કૃષ્ણાર્ષિના શિષ્યોએ પોતાની ૯૮ ગાથાત્મક ધર્મોપદેશમાલા અને તેના પર ૫૭૭૮ શ્લોક - પ્રમાણ સ્વોપન્ન વૃત્તિનું નિર્માણ કર્યું.
જિન ધર્મનો મૌલિક ઈતિહાસઃ (ભાગ-૩) 0િ9999999999 ૧૦૦]