Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પછી કલભ્રોની સત્તાને સમાપ્ત કરવામાં સફળતા મેળવી. કલભ્રોના શાસનને સમાપ્ત કર્યા બાદ પણ કાંચીપતિ પલ્લવરાજ સિંહવિષ્ણુને સંતોષ ન થયો. એમણે કાવેરી સુધીના સંપૂર્ણ ભૂભાગને જીતીને કાવેરી સુધી પોતાના રાજ્યની સીમાઓનો વિસ્તાર કર્યો. - પલ્લવરાજ સિંહવિષ્ણુએ વિ. નિ. સ. ૧૧૦૨ થી ૧૧૨૭ સુધી કાંચીના સિંહાસન પર રાજ્ય કરી પોતાના રાજ્યને સુદઢ અને શક્તિશાળી બનાવ્યું. સિંહવિષ્ણુ વિષ્ણુભક્ત હતો, પરંતુ એમનો પુત્ર મહેન્દ્રવર્મન (પ્રથમ) જૈન-ધર્માવલંબી હતો.
વિ. નિ. સં. ૧૧૨૭માં મહેન્દ્ર વર્મન (પ્રથમ) કાંચીમાં પલ્લવોના રાજસિંહાસન પર બેઠો. તે બહુમુખી પ્રતિભાનો ધણી, કુશળ રાજ્યનિર્માતા, કવિ તથા સંગીતજ્ઞ હતો. તેનામાં તેના પિતાની જેમ જ રાજ્યવિસ્તારની લાલસા હતી અને તેણે ઉત્તરમાં કૃષ્ણા નદીના તટથી પણ આગળ સુધી પોતાના રાજ્યની સીમાઓનો વિસ્તાર કર્યો.
તમિલ પ્રદેશોમાં જૈન ધર્મના સદીઓથી ચાલ્યા આવતા વર્ચસ્વ પર ઘાતક પ્રહાર કરવાવાળો શૈવ સંત તિરુઅપ્પર, તેનો સમકાલીન જ નહિ પરંતુ તેનો ગુરુ પણ હતો. અપ્પરની સંગતમાં આવ્યા પછી કાંચનરેશ પલ્લવરાજ મહેન્દ્રવર્મને જૈન ધર્મનો પરિત્યાગ કરી શૈવ ધર્મ અપનાવી લીધો.
તિરુઅપ્પરના સમકાલીન શૈવસંત જ્ઞાનસંબંધરના ચમત્કારોથી પ્રભાવિત થઈ મદુરાનરેશ સુંદર પાંડ્ય પણ જૈન ધર્મનો પરિત્યાગ કરીને શેવ-ધર્માવલંબી બની ગયો હતો. સુંદર પાંચનાં બીજા ત્રણ નામ ઉપલબ્ધ થાય છે - પહેલું નામ નેદુમાર, બીજું નામ કુન પાંચન અને ત્રીજું નામ કુન્જ પાંડ્ય.
જે રીતે પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) અને સુંદર પાંડ્યન, આ બંને સમકાલીન હતા, તે જ રીતે જ્ઞાનસંબંધર અને તિરુઅપ્પર આ બંને શૈવસંત પણ સમકાલીન હતા. અપ્પર અને જ્ઞાનસંબંધર તમિલ પ્રદેશમાં શૈવ ધર્મ ક્રાંતિના સૂત્રધાર હતા. પલ્લવરાજ મહેન્દ્રવર્મન (પ્રથમ) તથા મદુરાના મહારાજા સુંદર પાંચનને તેમના સક્રિય પ્રબળ પોષક સમજવામાં આવતા હતા. મહેન્દ્રવર્મન(પ્રથમ)નો શાસનકાળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 36369696969696969696969] ૧૦૯