Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ક્યાંક તો જિન મંદિર અથવા જિન પ્રતિમાના અસ્તિત્વનો ઉલ્લેખ હોત. આનાથી એ પ્રમાણિત થાય છે કે - “જૈન ધર્મની મૂળ પરંપરાના
પ્રારંભમાં મૂર્તિપૂજાને માટે ક્યાંયે કોઈ સ્થાન ન હતું.” ૬. આ સર્વસંમત તથ્ય છે કે - “જૈનાગમ ભગવાન મહાવીરની દેશનાઓના
આધાર પર ગણધરો દ્વારા ગ્રંથિત કરવામાં આવ્યા. મૂળ આગમ જૈન ધર્મના સિદ્ધાંતો તથા માન્યતાઓના પરમ પ્રામાણિક મૂળ આધાર માનવામાં આવે છે. તેમાં જિનમંદિર અને મૂર્તિપૂજાનો જ્યારે કોઈ પણ ઉલ્લેખ નથી, તો તેનો અર્થ એ જ થાય છે કે - તીર્થકર ભગવાન મહાવીરે પોતાની કોઈ પણ દેશનામાં મંદિર - નિર્માણ, જિનપ્રતિમાની પ્રતિષ્ઠાપના પૂજા કરવા સંબંધમાં એક પણ શબ્દ પોતાના મુખારવિંદથી કહ્યો નથી.” જો સંસારનાં ભવ્ય પ્રાણીઓ માટે જિનપ્રતિમાની પૂજા કરવી કલ્યાણકારી હોત, તો તીર્થકર જિનપ્રતિમાપૂજાનો પણ સ્પષ્ટ શબ્દોમાં તે પ્રકારે વિસ્તૃત રૂપથી ઉપદેશ આપતા, જે પ્રકારે તેઓએ મુક્તિપ્રાપ્તિ માટે
પરમાવશ્યક અન્ય કર્તવ્યનો ઉપદેશ આપ્યો હતો. ૭. આ તથ્ય પ્રકાશમાં આવે છે કે - “પહેલી આગમવાચના
(વી. નિ. સં. ૧૬૦ની આસપાસ)ના સમયથી લઈને ચોથી આગમવાચના (વી. નિ. સ. ૯૮૦) સુધીના આગમાનુસાર વિશુદ્ધ શ્રમણચાર, શ્રાવકાચાર અને ધર્મના મૂળ આધ્યાત્મિક
સ્વરૂપનું પાલન કરવાવાળા જૈનસંઘમાં મૂર્તિપૂજા અને મંદિરાદિના નિર્માણનું પ્રચલન થયું ન હતું.
આ બધાં તથ્યોથી અનુમાન કરવામાં આવે છે કે - “મૂર્તિપૂજાનું પ્રચલને ચૈત્યવાસી પરંપરા અને યાપનીય પરંપરાએ કાળાન્તરે પ્રારંભ કરી.”
(ચાપનીયસંઘના પ્રાચીન કેન્દ્ર) ૧. ઈસાની બીજી શતાબ્દીમાં યાપનીયસંઘ દક્ષિણ ભારતમાં " તમિલનાડુથી કન્યાકુમારી સુધી સક્રિય રહ્યો. ૨. ઈસાની ચોથી-પાંચમી શતાબ્દીમાં અને તેના પછી યાપનીયસંઘ
કર્ણાટક પ્રાંતના ઉત્તરવર્તી ભાગમાં જ એક સર્વાધિક લોકપ્રિય
સંઘના રૂપમાં સક્રિય રહ્યો. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૫૯ |