Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
મહોત્સવ ઉજવવાના કાર્યમાં અને ચાતુર્માસકાળમાં યાપનીયસંઘના તપસ્વી સાધુઓને આહાર પ્રદાન કરવાના કાર્યમાં વાપરવામાં આવે.'
કદંબવંશી રાજાઓની જિનમંદિરો, મઠો વગેરે માટે પ્રગાઢ રુચિ હતી. તેઓના જીર્ણોદ્ધાર માટે તેઓ દ્વારા કરવામાં આવેલ સહયોગના વિવરણ પ્રાચીન અભિલેખોમાં ઉપલબ્ધ થાય છે. મંદિરો, મઠોમાં ઝાડુ કાઢવા માટે તેમજ તેને હંમેશાં સાફ-સુઘડ રાખવા માટે મૃગેશવર્મા દ્વારા આપવામાં આવેલ દાનથી કદંબવંશી રાજાઓની જૈન ધર્મ પ્રત્યેની પ્રગાઢ આસ્થાનો પરિચય પ્રાપ્ત થાય છે. આ રીતે કદંબવંશી રાજાઓએ પોતાનાં ૯૬૭ વર્ષોના સુદીર્ઘ શાસનકાળમાં જૈન ધર્મને ઉલ્લેખનીય આશ્રય તથા રાજ્યાશ્રય આપીને જૈન ધર્મના પ્રચાર-પ્રસારમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું..
(રાષ્ટ્રકૂટ-રાજવંશ) (વી. નિ. સં. ૯૫૨ થી ૧૪૯૯ સુધી) રાષ્ટ્રકૂટ રાજવંશ(રટ્ટવંશ)નાં રાજાઓ, રાણીઓ, રાજકુમારો, રાજમાતાઓ, સેનાનાયકો, મંત્રીઓ અને પ્રજાજનોએ જૈન ધર્મની સર્વતોન્મુખી ઉન્નતિ માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું.
ગંગવંશી રાજા અવિનીત (ઈ.સ. ૪૨૫-૪૭૮)ના સમયમાં દિક્ષિણના કેટલાક પ્રદેશો પર રાષ્ટ્રકૂટવંશીય રાજા અકાલવર્ષ રાજ્ય કરી રહ્યો હતો. તેના એક મંત્રીએ વણદેગુખે નામનું એક ગામ, ચંદન્તિ ભટ્ટારકને દાનમાં આપી દીધું. રાષ્ટ્રકૂટવંશી રાજા ગોવિંદ તૃતીયએ વિ. સં. ૮૧૩માં પોતાના ગંગવંશીય સામંત ચાકિરાજની વિનંતી પર જાલમંગલ નામનું ગામ નંદીસંઘના પૂત્રાગવૃક્ષમૂળગણના થાપનીય આચાર્ય અર્કકીર્તિને દાનમાં આપ્યું. અર્કકીર્તિએ તેમના સામંત વિભવાદિત્યને શનિની પીડાથી મુક્ત કર્યો હતો. તેના શાસનકાળમાં તેના મોટાભાઈ કંબનું ગંગ પ્રદેશ પર રાજ્ય હતું. ઈ.સ. ૮૦૭માં જે સમયે કંબની તલવન નગરમાં શિબિર હતી, તે સમયે તેણે પોતાના પુત્ર શંકરગણની પ્રાર્થના પર જૈન આચાર્ય વર્ધમાનને એક ગામ પ્રદાન કર્યું.
રાષ્ટ્રકૂટવંશનો અગિયારમો રાજા અમોઘવર્ષ જૈન ધર્મનો પ્રબળ સંરક્ષક અને પરમ જૈનભક્ત હતો. અમોઘવર્ષ પોતાના ગુરુ જિનસેન જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 369696969696969696969694 ૫ ]