Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ઝંઝાવતથી, મૂળ શ્રમણ પરંપરાને બચાવી રાખવાના સંગઠિત રૂપમાં પૂરો પ્રયાસ કર્યો. એમના આ સુસંગઠિત પ્રયાસથી મૂળ પરંપરા નષ્ટ થતા બચી અને ચૈત્યવાસીઓના ઉત્તરોત્તર વધતા પ્રભાવના પરિણામ સ્વરૂપ ક્રમશઃ ક્ષીણ અને ક્ષીણતર થવા છતાં એ સંક્રાંતિકાળમાં તે જીવિત રહી શકી. ધર્મના મૂળ સ્વરૂપ અને મૂળ શ્રમણાચારના રક્ષાર્થ એક સમાચારીના માધ્યમથી સંગઠિત તથા એકજુટ થયેલા બધા ગણો અને ગચ્છોનાં એ શ્રમણ-શ્રમણી વર્ગને “સુવિહિત પરંપરા'ની સંજ્ઞા આપવામાં આવી. ચૈત્યવાસની ભીષણ આંધીથી વિશુદ્ધ શ્રમણાચાર તથા ધર્મની રક્ષા કરવાના કારણે સુવિહિત પરંપરાની પ્રતિષ્ઠા વધી. ચૈત્યવાસી પરંપરાના ચરમોત્કર્ષ કાળમાં પણ અવશિષ્ટ રહી અથવા અસ્તિત્વમાં આવેલી તથા તેનાથી ઉત્તરવર્તી કાળમાં સમય-સમય પર પ્રગટ થયેલી બધી શ્રમણ પરંપરાઓએ પોતાના સ્ત્રોત સુવિહિત પરંપરા સાથે જોડતાં પોતાની જાતને સુવિહિત પરંપરાનું અંગ હોવાનું પ્રગટ કર્યું.
આ પ્રકારે ચૈત્યવાસી પરંપરાના પ્રાદુર્ભાવ, ઉત્કર્ષ અને પ્રભાવનું એ સુપરિણામ આવ્યું કે ભિન્ન-ભિન્ન ગચ્છો અને ગણોના શ્રમણ, સુવિહિત પરંપરા અર્થાત્ ભલી-ભાંતિ વિધિપૂર્વક પ્રતિપાદિત પરંપરાના એક-સૂત્રમાં આબદ્ધ થયા. વસ્તુતઃ સુવિહિતના નામ પર કોઈ નવી પરંપરાને જન્મ નથી આપવામાં આવ્યો, પરંતુ ભિન્ન-ભિન્ન ગણો અને ગચ્છોમાં વિભક્ત મૂળ પરંપરાના શ્રમણોને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવા માટે મૂળ શ્રમણ પરંપરાઓને જ આ એકતાસૂચક બીજું નામ આપવામાં આવ્યું.
ચૈત્યવાસી પરંપરાના સુદીર્ઘકાલીન એકાધિપત્યના કારણે સુવિહિત પરંપરાના નામ પર પાંગરેલી પરંપરાઓ પણ કાલાન્તરમાં ચૈત્યવાસીઓ વડે પ્રચલિત આડંબરપૂર્ણ વિધિ-વિધાનોની તરફ ધીરેધીરે આકૃષ્ટ થવા લાગી અને અનુસરણ કરવા લાગી.
F
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 9િ696969696969696969690 ૩૯ |