Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સ્ત્રીમાં તદ્દભવે મોક્ષ આ ઘોષણાએ તો દક્ષિણના નારીસમાજમાં ધર્મજાગરણની એક તીવ્ર લહેર ઉત્પન્ન કરી દીધી. તેનું તત્કાળ સુંદર પરિણામ એ આવ્યું કે યાપનીયસંઘ દક્ષિણનો શક્તિશાળી ને લોકપ્રિય સંઘ બની ગયો. તે ઈસાની ચોથીથી અગિયારમી શતાબ્દી સુધીની અવધિમાં કર્ણાટક પ્રદેશનો એક પ્રમુખ અને પ્રભાવશાળી ધર્મસંઘ રહ્યો.
આ (ચાપનીયસંઘનો ઉગમકાળ) - પ્રથમ વિભેદના સમયે જ ભગવાન મહાવીરનો મહાન શ્રમણસંઘ ત્રણ ભાગોમાં વહેંચાઈ ગયો. વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯માં જ શ્વેતાંબરસંઘ, દિગંબરસંઘ અને યાપનીયસંઘ (ગોપ્યસંઘ અથવા પુલીયસંઘ) આ ત્રણ એકમો પોત-પોતાની માન્યતાઓને અનુરૂપ જૈન ધર્મનો પ્રચાર પ્રારંભ કરી દીધો. આ પ્રકારે તત્કાળ ઘટનાચક્રના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવાથી આ અનુમાન કરવામાં આવે છે કે વી. નિ. સં. ૬૦૬ અથવા ૬૦૯માં થયેલ સંઘભેદના સમયે જ યાપનીયસંઘનો ઉદય થઈ ગયો હતો.
(ચાપનીય સંઘની માન્યતાઓ) યાપનીય પરંપરાના થોડાક ઉપલબ્ધ ગ્રંથોના અવલોકનથી આ પરંપરાની માન્યતાઓ સંબંધમાં જે થોડાં-ઘણાં તથ્ય પ્રકાશમાં લાવી શકાયાં છે, તે આ પ્રકારે છે : ૧. યાપનીય પરંપરાની અધિકાંશ માન્યતાઓ શ્વેતાંબર પરંપરાની
માન્યતાઓને હળતી-મળતી હતી. ૨. યાપનીયસંઘ તે બધા આગમગ્રંથો(આવશ્યક, છેદસૂત્ર, દશવૈકાલિક, નિયુકિત વગેરે)ને તે જ પ્રકારે પોતાના પ્રામાણિક ધર્મગ્રંથ માનતા હતા, જે પ્રકારે શ્વેતાંબર પરંપરા પ્રારંભથી લઈને આજ
સુધી માનતી આવી રહી છે. ૩. યાપનીય પરંપરા પણ શ્વેતાંબર પરંપરાની જેમ જ સ્ત્રીમુક્તિ અને
કેવળી ભુક્તિના સિદ્ધાંતના પક્ષમાં હતી. ૪. યાપનીય પરંપરા મુનિઓ માટે ધમપકરણના રૂપમાં વસ્ત્ર,
પાત્ર, કામળા વગેરે રાખવા તેમજ તેઓની પ્રતિલેખના કરવાની
પક્ષધર હતી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 969696969696969696969. પપ |