Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
∞ ૬ પ્રકારના આવશ્યકો ર
(૧) સામાયિક :- જેનો આત્મા સંયમમાં, નિયમમાં અને તપમાં પરોવાયેલો હોય તથા જે ત્રસ-સ્થાવર બધા જીવોને વિષે સમ હોય તેને સામાયિક હોય.
(૨) ચતુર્વિશતિસ્તવ :- આ અવસર્પિણીમાં થયેલા ૨૪ તીર્થંકરોની સ્તવના કરવી તે ચતુર્વિંશતિસ્તવ. સ્તવ બે પ્રકારે છે ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ. ભાવસ્તવ સાધુઓને હોય. શ્રાવકોને દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ બન્ને હોય.
(૩) વંદન :- તેના ત્રણ પ્રકાર છે
-
(i) ફેટાવંદન :- બે હાથ જોડી મસ્તક નમાવવું તે ફેટાવંદન. તે ચતુર્વિધ સંઘમાં પરસ્પર કરાય છે.
(ii) છોભનંદન :- બે ખમાસમણા, ઈચ્છકાર, અબ્યુટ્ઠિઓ પૂર્વકનું વંદન તે છોભવંદન. તે સાધુભગવંતો અને સાધ્વીજીભગવંતોને કરાય છે.
(III) દ્વાદશાવર્તવંદન :- વાંદણાપૂર્વક રાઈમુહપત્તિ કરાય છે તે દ્વાદશાવર્તવંદન. તે પદસ્થોને કરાય છે.
-
(૪) પ્રતિક્રમણ :- પ્રમાદને લીધે સ્વસ્થાનમાંથી પરસ્થાનમાં ગયેલાનું ફરી પોતાના સ્થાનમાં આવવું તે પ્રતિક્રમણ. તેના ૪ પ્રકાર છે -
(i) મિથ્યાત્વનું પ્રતિક્રમણ.
(ii) અસંયમનું પ્રતિક્રમણ.
(iii) કષાયોનું પ્રતિક્રમણ.
(iv) અપ્રશસ્ત યોગોનું પ્રતિક્રમણ.
અથવા, બીજી રીતે પ્રતિક્રમણના ૪ પ્રકાર છે
(i) પ્રતિષિદ્ધના કરણનું પ્રતિક્રમણ.
(ii) કૃત્યો ન કરવાનું પ્રતિક્રમણ. (iii) અશ્રદ્ધાનું પ્રતિક્રમણ.
(iv) વિપરીતપ્રરૂપણાનું પ્રતિક્રમણ.
૬ પ્રકારના આવશ્યકો
...૨૧...