Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
((૮) આઠમી છત્રીશી) ૯ તત્ત્વોને જાણનાર ૯ બ્રહ્મચર્યની વાડોથી ગુપ્ત ૯ પ્રકારના નિયાણા વિનાના
૯ કલ્પી વિહાર કરનાર કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૯ જ તત્ત્વો ૯ છે. તે આ પ્રમાણે – (૧) જીવ :- જેનામાં ચેતના હોય તે જીવ. તેના ૧૪ ભેદ છે. (૨) અજીવ :- જેનામાં ચેતના ન હોય તે અજીવ. તેના ૧૪ ભેદ છે. (૩) પુણ્ય :- જેનાથી સંસારી જીવને સુખનો અનુભવ થાય તે પુણ્ય.
તેના ૪ર ભેદ છે. (૪) પાપ :- જેનાથી સંસારી જીવને દુઃખનો અનુભવ થાય તે પાપ.
તેના ૮૨ ભેદ છે. (૫) આસ્રવ :- જેનાથી આત્મામાં કર્મો આવે તે આસવ. તેના કર
ભેદ છે. (૬) સંવર :- જેનાથી આત્મામાં કર્મો આવતાં અટકે તે સંવર. તેના
પ૭ ભેદ છે. (૭) નિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટું પડવું તે નિર્જરી. તેના ૧૨
ભેદ છે. (૮) બંધ - આત્મામાં કાર્મણ વર્ગણાના પુદ્ગલોની થયેલી એકમેકતા
તે બંધ. તેના ૪ ભેદ છે. (૯) મોક્ષ :- બધા કર્મો દૂર થવાથી શુદ્ધ બનેલો આત્મા તે મોક્ષ. તેના
૯ ભેદ છે. આ ૯ તત્ત્વોનો વિસ્તાર નવતત્ત્વપ્રકરણમાંથી જાણવો.
૯ તત્ત્વો
...૪૯...