Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૩-૫) ૩ કપડા (૧ ઊનનો કપડો, ર સૂતરના કપડા). (૬-૧૨) ૭ પાત્રાના ઉપકરણો (પાત્રા, ઝોડી, પડલા, રજસ્ત્રાણ, ગુચ્છા,
પુંજણી, પાત્રાસન). (૧૩) માત્રક. (૧૪) ચોલપટ્ટો.
0 જેમ શંકર એક વખત ગ્રહણ કરેલું વિષ હજી સુધી પણ છોડતા
નથી, કાચબો પોતે ધારણ કરેલી પૃથ્વીને મૂકી દેતો નથી, સમુદ્ર પણ દુર્વક વડવાગ્નિને વદન કર્યા કરે છે, તેમ પુણ્યવાન પુરુષ પોતે
આદરેલું સત્કાર્ય મોટા વિMી આવવા છતાં પણ છોડતા નથી. a મેઘની ગર્જના, ભવિતવ્યતા, સ્ત્રીચરિત્ર, મેઘનું વરસવું અને જન્મ
મરણ-આટલા વાના દૈવ પણ જાણતો નથી, તો મનુષ્યની શી વિસાત? વૈરી, વહિ (અગ્નિ), વ્યાધિ, વાદ અને વ્યસન એ પાંચ વકાર જો
વધે તો મોટું નુકસાન કરે. a દેવ-ગુરુની પૂજા, દયા, દાન, તીર્થયાત્રા, તપ, જપ, સતશાસ્ત્રનું
શ્રવણ અને પરોપકાર - એ આઠ મનુષ્યજન્મના ફળો છે. કઠોર અને નિષ્ફર મનુષ્ય પણ મૃદુતાથી વશ થાય છે. જુઓ ! કઠોર એવા દાંત મૃદુતાવાળી જીભની સેવા કરે છે, કઠણ પદાર્થો
ચાવીને તેણીને આપે છે. n જે વસ્તુ વિકાસના પંથે લઈ જનારી છે તે જ વસ્તુ ઊલટી થાય
તો નીચે પણ લઈ જાય છે.
...૭ર...
૧૪ પ્રકારના ઉપકરણો