Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
કરવું નહીં અને તેને આધીન થવું નહીં.
(૯) ચર્યા :- એક સ્થાને સદાકાળ ન રહેતાં ગ્રામાનુગ્રામ વિચરવું, નવકલ્પી વિહાર કરવો, વિહારમાં કંટાળવું નહીં.
(૧૦) નૈષેધિકી સ્થાન :- શૂન્યગૃહ, શ્મશાન વગેરે સ્થાનોમાં રહેવું, અથવા સ્ત્રી, નપુંસક, પશુ, આદિ રહિત સ્થાનમાં રહેવું, પ્રતિકૂળ સ્થાન હોવા છતાં ઉદ્વેગ ન કરવો.
(૧૧) શય્યા :- ઊંચી-નીચી ઈત્યાદિ પ્રતિકૂળ શય્યા (સંથારાની જગ્યા) મળવાથી ઉદ્વેગ ન કરવો, અનુકૂળ શય્યા મળવાથી હર્ષ ન કરવો. (૧૨) આક્રોશ :- કોઈ તિરસ્કાર કરે તો તેના ઉપર દ્વેષ ન કરવો, પણ તેને ઉપકારી માનવો.
(૧૩) વધ :- કોઈ હણી નાખે, મારી નાખે તો પણ મારનાર ઉપર દ્વેષ ન કરવો, તેમજ મનમાં ખરાબ વિચાર ન કરવા.
(૧૪) યાચના – ગોચરી, પાણી, વસ્ત્રાદિની યાચનામાં લજ્જા ન રાખવી. (૧૫) અલાભ :- યાચના કરવા છતાં વસ્તુ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય છે એમ વિચારી ઉદ્વેગ ન કરવો.
:
(૧૬) રોગ – રોગ આવે ત્યારે સ્થવિરકલ્પી મુનિ શાસ્ત્રવિધિ મુજબ નિર્દોષ ઉપચારો કરે અને રોગ દૂર ન થાય તો પણ ધીરજ રાખી પોતાના કર્મના ઉદયને વિચારે.
(૧૭) તૃણ :- તૃણ, ડાભનો સંથારો હોય અને તેની અણીઓ શરીરમાં વાગે અથવા વસ્રનો સંથારો કર્કશ હોવાને કારણે ખૂંચે તો પણ ઉદ્વેગ ન કરતાં સહન કરવું.
(૧૮) મલ :- શરીર, કપડાં વગેરે મલિન હોય તો પણ દુર્ગંચ્છા ન કરવી અને તે દૂર કરવાનો પ્રયત્ન ન કરવો.
(૧૯) સત્કાર ઃ- લોકમાં માન, સત્કાર મળે તેથી આનંદ ન પામવું તથા ન મળે તો ઉદ્વેગ ન કરવો.
(૨૦) પ્રજ્ઞા :- બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોય, તેથી લોકો બહુ પ્રશંસા કરે, તે સાંભળી ગર્વ કે અભિમાન ન કરે, પણ એમ વિચારે કે પૂર્વે મારાથી
૨૨ પરીષહો
...૧૦૯...