Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૩)
(૧૩) અંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગોમાં રહેલું શ્રુતજ્ઞાન. (૧૪) અનંગપ્રવિષ્ટશ્રુત :- ૧૨ અંગો સિવાયનું શ્રુતજ્ઞાન. અવધિજ્ઞાન :- અમુક મર્યાદામાં રહેલા રૂપી પદાર્થોનો ઈન્દ્રિયોથી નિરપેક્ષ આત્મા દ્વારા થતો સાક્ષાત્ બોધ તે અવધિજ્ઞાન. તેના ૬ પ્રકાર છે. તે આ પ્રમાણે
(૧)
(૨)
૫ જ્ઞાન
અનનુગામી :- સાંકળથી બંધાયેલા દીવાની જેમ જ્યાં ઉત્પન્ન થયું હોય ત્યાં જ રહે, પરંતુ અન્યત્ર જતાં સાથે ન આવે એવું અવધિજ્ઞાન.
વર્ધમાન :- ઉત્પન્ન થયા પછી પ્રશસ્ત અધ્યવસાયના કારણે વધતું જાય એવું અવધિજ્ઞાન. આ અવધિજ્ઞાન જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા વિષયનું ઉત્પન્ન થઈ ઉત્કૃષ્ટથી અલોકમાં લોક પ્રમાણ અસંખ્ય ખંડોને જોઈ શકવાના સામર્થ્યવાળું ઉત્પન્ન થાય છે.
હીયમાનઃ– ઉત્પન્ન થયા પછી ઘટતું જાય એવું અવધિજ્ઞાન. પ્રતિપાતી :– પ્રગટ થયા પછી નાશ પામે એવું અવધિજ્ઞાન. અપ્રતિપાતી ઃ- પ્રગટ થયા પછી ક્યારેય નાશ ન પામે એવું અવધિજ્ઞાન.
(i)
(૪) મન:પર્યવજ્ઞાન :- અઢી દ્વીપમાં રહેલા સંશી પંચેન્દ્રિય મનુષ્યો તથા તિર્યંચોના મનોદ્રવ્યના મન તરીકે પરિણમાવેલ પર્યાયો જેનાથી જણાય તે મન:પર્યવજ્ઞાન. તેના બે પ્રકાર છે. તે આ પ્રમાણે – ઋજુમતિમનઃપર્યવજ્ઞાન :- સામાન્યથી જાણે તે. જેમકે, આણે ઘોડો વિચાર્યો છે. વિપુલમતિમનઃપર્યવજ્ઞાન :- વિશેષથી જાણે તે. જેમકે, આણે માટીનો લાલ રંગનો અમુકની માલિકીનો મોટો ઘડો ચિંતવ્યો છે.
(૩)
(૪)
(૫)
(૬)
અનુગામી :- ચક્ષુની જેમ જ્યાં જઈએ ત્યાં સાથે આવે એવું અવધિજ્ઞાન.
(ii)
...૧૩૧...