Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
((૨૭) સત્તાવીશમી છત્રીશી) ૫ પ્રકારના વેદિકાદોષોથી વિશુદ્ધ પડિલેહણ કરનારા ૬ દોષ રહિત પડિલેહણ કરનારા
૨૫ પ્રકારનું પડિલેહણ કરનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
જી ૫ પ્રકારના વેદિકાદોષો જ (૧) ઊર્વેદિકા - બંને ઢીંચણની ઉપર બંને હાથ રાખીને પડિલેહણ
કરવું તે. (૨) અધોવેદિકા - બંને ઢીંચણની નીચે બંને હાથ રાખીને પડિલેહણ
કરવું તે. (૩) તિર્યદિકા - બે હાથ બે સંડાસા (વાળેલા પગ) ની વચ્ચે
લઈ જઈને પડિલેહણ કરવું તે. (૪) ઉભયવેદિકા - બે હાથની અંદર બે ઢીંચણ રાખીને પડિલેહણ
કરવું તે.
એકવેદિકા - બે હાથની અંદર એક ઢીંચણ રાખીને પડિલેહણ કરવું તે.
છ પડિલેહણમાં વર્જવાના ૬ દોષો જ (૧) આરભટા - વિપરીત પડિલેહણ કરવું, અથવા ઝડપથી અન્ય અન્ય
વસ્ત્રોને ગ્રહણ કરવા તે. ' (૨) સંમર્દા - પડિલેહણ કરાતાં કપડાના છેડા અંદર હોય, અથવા
પડિલેહણ કરતાં ઉપધિ ઉપર બેસવું તે. (૩) મોસલી :- પડિલેહણ કરતી વખતે કપડા ઉપર માળીયાને, નીચે
ભૂમીને અને તીરછા દીવાલોને અડાડવા તે. (૪) પ્રસ્ફોટના :- પડિલેહણ કરતી વખતે ધૂળ લાગેલા વસ્ત્રની જેમ
વસ્ત્રો ઝાટકવા તે.
...૧૧૨..
૫ પ્રકારના વેદિકા દોષો, પડિલેહણમાં વર્જવાના ૬ દોષો