Book Title: Gurugunshat Trinshtshatrinshika Kulak
Author(s): Hemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
(૪) અસત્યઅમૃષા વચનયોગ :- ‘હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.’ વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ કહેવું તે અસત્યઅમૃષા વચનયોગ.
૦ ૭ પ્રકારના કાયયોગ :
(૧)
ઔદારિક કાયયોગ :- ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિક કાયયોગ.
(૨) ઔદારિકમિશ્ર કાયયોગ :- મનુષ્યો અને તિર્યંચોને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્ર કાયયોગ.
(૩) વૈક્રિય કાયયોગ ઃ- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિય કાયયોગ. (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ :– દેવતા અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશ્ર કાયયોગ.
(૫) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારક કાયયોગ.
(૬) આહારકમિશ્ર કાયયોગ :- આહારક શરીર કરનારા ૧૪ પૂર્વધર મુનિભગવંતોને આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારક અને ઔદારિક શરીરોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્ર કાયયોગ. (૭) કાર્મણ કાયયોગ :- તેજસ-કાર્મણ શરીરોથી થતી પ્રવૃત્તિ તે કાર્યણ .કાયયોગ.
છ ૧૫ પ્રકારની સંજ્ઞા ર
(૧) આહારસંશા :- ખાવું તે. તે ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી થાય છે. જલ વગેરે આહારને ગ્રહણ કરનારા ઘાસની જેમ. (2)
ભયસંજ્ઞા :- ભય પામવો તે. તે ભયમોહનીય કર્મના ઉદયથી થાય છે. સંકોચિની વેલડીની જેમ.
:
(૩) મૈથુનસંજ્ઞા મૈથુન સેવવું તે. તે વેદમોહનીય કર્મના ઉદયથી થાય છે. ચંપક, તિલક, અશોક વગેરેની જેમ.
૧૫ પ્રકારની સંજ્ઞા
...૮૨...